Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»આજે વિશ્વ થાઈરોઈડ દિવસ: ભારતમાં 4.50 કરોડ દર્દીઓ
Gujarat News

આજે વિશ્વ થાઈરોઈડ દિવસ: ભારતમાં 4.50 કરોડ દર્દીઓ

By ABTAK MEDIA25/05/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

થાઈરોઈડનાં મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે: જાગૃતી અને જાણકારી ખુબજ  આવશ્યક

સમગ્ર વિશ્વમાં 25 મે નાં રોજ વિશ્વ થાઈરોઈડ ડે તરીકે ઓળખાય છે, આનો હેતુ થાઈરોઈડનાં રોગ વિશે જનજાગૃતિ કેળવવાનો છે, જેથી થાઈરોઈડ રોગોનું સમયસર નિદાન તથા સારવાર થઈ શકે. આપણા દેશની વાત કરીએ તો આશરે 4.5 કરોડ લોકો થાઈરોઈડના રોગથી પીડાય રહયા છે. આમાનાં આશરે 30 લાખ લોકો આપણા ગુજરાતમાં વસેલા છે.

થાઈરોઈડ મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે. (1) હાઇપોથાઈરોઈડ (લીલો થાઈરોઈડ ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ ઘટી જાય છે. (2) હાઈપર થાઈરોઈડ (સુકો થાઈરોઈડ ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ વધી જાય છે. (3) થાઈરોઈડની ગાંઠ – સાદી અને કેન્સરની કેવા કેવા લક્ષણો હોય તે માટે તબીબનો સંપર્ક કરવો હિતાવહ છે.

હાઇપો થાઈરોઈડનાં મુખ્યત્વે લક્ષણોમાં પાચનતંત્રની ક્રિયા ધીમી પડતી જતી હોવાથી કબજીયાત થવુ , વજન વધી જવું , હૃદયનાં ધબકારા ધીમા પડી જવા, થાક લાગવો , વાળ ખરવા, ઠંડીમાં સહનશકિતમાં ઘટાડો, ચહેરો સોજી જવો, કોલેસ્ટ્રોલ વધી જવું , માસિકમાં અનિયમીતા વગેરે જેવી તકલીફો થાય છે જ્યારે હાઈપર થાઈરોઈડમાં આના કરતા વિપરીત અસર થાય છે જેમાં મુખ્યત્વે ગોઇટર , હાથ ધ્રુજવા , ચિડમીડીયાપણું આવવું , વજન ઘટવો , ગરમી સહન ન થવી તથા ઉંઘ ન આવવી વિગેરે લક્ષ્યો જોવા મળે છે.

થાઈરોઈડની દવાઓની વિશેષ કાળજીમાં થાઈરોઈડની દવા સામાન્યપણે ડોકટરની સલાહ વગર ડોઝ બદલવો કે બંધ કરવો અથવા કંપની બદલવી હિતાવહ નથી . ઉપરાંત હાઈપો થાઈરોઈડ માટેની લીવોથાઈરોકસીન નામની દવા રોજ સવારે ભુલ્યા વગર ભુખ્યા પેટે સાદા પાણી સાથે લેવી હિતાવહ છે . તે ઉપરાંત આ ગોળી લીધા પછી 45 40 મીનીટ સુધી ભોજનમાં કંઈ ન લેવુ તે વધુ હિતાવહ રહેશે.

કેટલાક પશ્ચિમી દેશોમાં બાળકના જન્મનાં તુરંત બાદ ટી.એસ.એચ. ટેસ્ટ કરવામાં આવે છે જેથી કોઈ તકલીફ હોય તો સમયસર સારવાર કરીને શરીરને થતું નુકશાન આગળ વધતું અટકાવી શકાય, જ્યારે આપણે ત્યાં આવી જાગૃતતા ન હોવાથી અનેક કિસ્સાઓમાં નિદાન – સારવારમા વિલંબનાં કારણે દર્દીનાં શારિરીક તથા માનસિક વિકાસ મોડો અથવા તો અટકી જાય છે.

જો થાઈરોઈડનાં રોગ વિશે પુરી માહીતી લેવામાં આવે, ડોક્ટરની સલાહનું યોગ્ય પાલન કરવામાં આવે અને જણાવ્યા પ્રમાણે બધી કાળજી લાવવામાં આવે તો થાઈરોઈડની તકલીફ હોવા છતાં પણ એક સ્વસ્થ અને સુખી જીવન જીવી શકાય છે. તેમ ડો. ક્રિષ્ના મોરી, એમ.ડી., ડી.એમ., એડોકિનોલોજી, મોરી ડાયાબીટીક એન્ડ એન્ડોક્રાઈન સેન્ટર , 20/26 ન્યુ જાગનાથ પ્લોટ , રાજકોટ , મો .81404 11110 ની એક યાદીમાં જણાવવામાં આવે છે.

INDIA patients WorldThyroidDay
Share. Facebook Twitter WhatsApp
Previous Articleવેદોમાંથી જ વિજ્ઞાનની ઉત્પત્તિ !
Next Article ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ડિઝાઈન કરનાર ક્રાંતિવીર સરદારસિંહજી રાણાની આજે પૂણ્યતિથિ
ABTAK MEDIA
  • Website

Related Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.