Abtak Media Google News

રાજકોટ ખાતે આજ રોજ ભાજપ રાષ્ટ્રીય નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યુ હતું કે આજે સાબરમતીનું રિવરફ્રન્ટ વિશ્વના નં 1 સ્થળમાં સામેલ થયું છે. સાથેજ રવિશંકર પ્રસાદે રાજકોટમાં કોંગ્રેસ તથા AAP પર  આકરા પ્રહાર પણ કર્યા હતા . અને જણાવ્યુ હતું કે ભારત જોડો કરતા પહેલા કોંગ્રેસ પોતાની પાર્ટીને જોડે, ગુજરાત વિસકાશીલ અને શાંત રાજ્ય છે.કોંગ્રેસ તથા આપ જેવી પાર્ટી નહિ. પ્રજાને માત્ર ભાજપ પાર્ટી જોય છે. PM મોદીએ ગુજરાતની પ્રજાના આશીર્વાદથી મુખ્યમંત્રી તરીકે ૧૪વર્ષ ગુજરાત રાજ્યને ચલાવ્યું છે

 

રવિશંકર પ્રસાદે જણાવ્યુ હતું કે ગુજરાતની અર્થ વ્યવસ્થાને ૧ ટ્રીલિયન સુધી લઈ જસૂ અમને વિશ્વાસ છે.ભારત 2015થી દુનિયાનું ત્રીજું સ્ટાર્ટઅપ હબ બન્યું છે. પાર્ટીને આગળ વધારા ગુજરાતના નેતાઓ ખૂબ મહેનત કરી છે. ગુજરાતના ખેડૂતો માટે ૮૩ હજાર કરોડના વિકાસના કામો કર્યા છે. સાથેજ વિધાનસભા પરિણામને લઈને જણાવ્યુ હતું કે વરિષ્ઠ નેતા ઈમાનદારીથી પાર્ટી સાથે જોડાયા છે. જેનું ૮ તારીખે પરિમાણ જોવા મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.