Abtak Media Google News

માતાજી નવદુર્ગાશક્તિ મા બીજા નોરતે બ્રહ્મચારીણી સ્વરૂપનું પૂજન થાય છે. ચારણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરૂપ જયોર્તિમય અને ભવ્ય છે. માતાજીના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ છે.

હિમાલયને ત્યાં માતાજીએ જન્મ લઈને ઉગ્ર તપ કરેલું, તપના પ્રભાવથી માતાજીનું નામ તપચારીણી એટલે બ્રહ્મચારીણી થયું. તપના પ્રભાવને લીધે માતાજીનું સ્વરૂપ ક્ષીણ થયેલું ત્યારે માતાજીને ચિંતા થાય છે અને અવાજ કરે છે ઉમા આથી માતાજીનું નામ ઉમા પડે છે. માતાજીનું તપ જોઈને બ્રહ્માજી આકાશવાણી કરે છે. તમને માતાજી પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે.

માતાજી દુર્ગાનું આ સ્વરૂપ અનેક સિધ્ધ આપનાર છે તથા  કે માતાજીની ઉપાસનાથી તપ , ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે . માતાજીની ઉપાસનાથી વિજયની પણ પ્રાપ્તિ થાય છે. માતાજીબ્રહ્મચારીણી ઉપાસનાનો મંત્ર ૐ હ્રીં શ્રી અમ્બિકાયે નમ: છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.