તા. ૨૦.૪.૨૦૨૫, રવિવાર ,સંવંત ૨૦૮૧, ચૈત્ર વદ સાતમ, પૂર્વાષાઢા નક્ષત્ર ,સિદ્ધ યોગ, વિષ્ટિ કરણ , આજે સાંજે ૬.૦૩ જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ ,ભ ,ફ ,ઢ ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .
મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ) : નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
–શનિ અને રાહુ અત્યારે ડિગ્રી મુજબ એકદમ નજીક છે
શનિ અને રાહુ અત્યારે ડિગ્રી મુજબ એકદમ નજીક છે બેઉની ગતિ એકબીજાથી વિરુદ્ધ છે પણ અત્યારે બેઉ મળીને પિશાચ યોગ રચી રહ્યા છે અને ડિગ્રી મુજબ સાવ નજીક હોવાથી જલદ પરિણામો આપી રહ્યા છે વળી નીચસ્થ મંગળ પર રાહુનો પ્રભાવ છે જે અનેક અકસ્માતો સર્જી રહ્યા છે જળમાં પ્રદુષણ વધે જળમાં કેમિકલ કે અન્ય વસ્તુ ભળે જેની અસર જળસૃષ્ટિ અને જીવ પર જોવા મળે તો શનિ રાહુ ખુબ નજીક મીનમાં હોવાથી લાંબા ગાળાની બીમારી કે અસાધ્ય બીમારી સામે લાવે છે અને લાંબા સમય માટે ઈલાજ કરવો પડે તેવી બીમારી સામે લાવે છે કે એવા પ્રશ્નો સામે આવે કે જેને સોલ્વ કરવામાં સમય લાગે વળી આ સમયમાં શનિ રાહુ શ્રાપિત્તદોષના કારણે પિતૃયોનિ જાગૃત થતી હોય તેવો અહેસાસ પણ થાય જયારે જયારે જન્મકુંડળીમાં શ્રાપિત્તદોષ જોવામાં આવે ત્યારે પિતૃ વિષે ઝીણવટપૂર્વક તપાસવું જોઈએ કેમ કે શનિ અને રાહુ સાથે લાંબાગાળાના અને અગાઉથી ચાલ્યા આવતા પ્રશ્નો બતાવે છે વળી રાહુએ જન્મોજન્મનું ખાતું બતાવે છે અને ઋણાનુબંધન દર્શાવે છે જેથી શનિ અને રાહુ આપણને આપણી અગાઉની પેઢીઓ સાથે સાંકળે છે અને તેના વિષે માહિતી આપે છે વળી આ યુતિ થાય એ પહેલા લાંબા સમયથી તે આ સમયે પરિણામ આપવા તત્પર હોય છે જે પરિણામ આ યુતિ દરમિયાન મળતા હોય છે. આ યુતિની વિપરીત અસર નિવારવા માટે અગાઉ ઉપાય આપેલા પરંતુ એક સર્વસામાન્ય અને સફળ ઈલાજ મૃત્યુંજય મંત્ર છે જે વધુમાં વધુ માત્રામાં સાત્વિકતાથી અને નિયમિતતાથી કરવો જોઈએ તથા વૃદ્ધોને ભોજન આપવું જોઈએ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨