તા ૮.૨.૨૦૨૫ , શનિવાર ,સંવંત ૨૦૮૧, મહા સુદ અગિયારસ, મૃગશીર્ષ નક્ષત્ર , વૈદ્યુતિ યોગ, વણિજ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.
કર્ક (ડ,હ) : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.
સિંહ (મ,ટ) : આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
જ્યોતિષશાસ્ત્રમાં નવમાંશ કુંડળીનું વિશેષ મહત્વ છે. નવમાંશ કુંડળી માત્ર જીવનસાથી જ નથી બતાવતી પણ જન્મકુંડળીનું સટીક ફળ પણ દર્શાવે છે માટે જયારે ઉપાયની વાત આવે ત્યારે નવમાંશ કુંડળીને બળવાન કરવી જોઈએ અને આ માટે નવમાંશ કુંડળીમાં ઉદિત લગ્ન સમજી એ મુજબ પ્રયોગ કરવા જોઈએ જેમ કે મેષ લગ્ન નવમાંશ માં હોય તો જાત ઉપર વધુ કામ કરવાનું આવે છે જયારે વૃષભ લગ્ન હોય ત્યારે ઘર પરિવાર માટે જવાબદારી લેવાનું આવે છે અને ભોજન કરાવવાથી લાભ થાય છે જયારે મિથુન લગ્ન હોય ત્યારે બુદ્ધિ અને વાતચીતથી અન્યનું સારું કરવાનું આવે છે તથા સ્કિલ વધારવાનું આવે છે જયારે કર્ક લગ્ન હોય ત્યારે લાગણીમય શરીર પર કામ કરવું પડે છે અને કોઈની લાગણી દુભાય નહિ તે જોવાનું આવે છે તો સિંહ લગ્નમાં તમારા પ્રભાવથી અન્યનું સારું કરવાનું અને તમે જે સત્તા પર હો તેનો દુરુપયોગના થાય તે જોવું પડે છે તો કન્યા લગ્નમાં બીમારની સેવા કરવાથી લાભ થાય છે તો તુલા લગ્ન સામાજિક સેવાકીય કાર્યથી લાભ અપાવે છે તો વૃશ્ચિક લગ્ન ગુપ્ત દાન સૂચવે છે જયારે ધન લગ્ન તમને જે જ્ઞાન હોય તે અન્યને આપવાથી અને વિદ્યાર્થીઓને મદદ કરવાથી લાભ થાય છે તો મકર લગ્નમાં કાર્યક્ષેત્રે વિશેષ નિષ્ઠા રાખવી પડે છે અને મજુર વર્ગને મદદ કરવાનું આવે છે એ જ રીતે કુંભ લગ્નમાં સાત્વિક ભોજન અને વ્યસનથી દૂર રહેવાનું તથા મિત્રોની મદદ કરવાનું હોય છે જયારે મીન લગ્ન સાધુ સંતની સેવા અને દાન ધર્મ સૂચવે છે. આમ તમારા નવમાંશ લગ્ન અનુસાર ફેરફાર કરવાથી ભાગ્યબળમાં વૃદ્ધિ થાય છે.