તા ૭.૨.૨૦૨૫ , શુક્રવાર ,સંવંત ૨૦૮૧, મહા સુદ દશમ , રોહિણી નક્ષત્ર , ઐંદ્ર યોગ, તૈતિલ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
વૃષભ (બ,વ,ઉ) : સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ ,ણ ) : આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે.
વૃશ્ચિક (ન ,ય ) : નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.
કુંભ (ગ ,સ,શ ) : આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ) : આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
બહોત બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નિકલે!!
અગાઉ અત્રે લખ્યા મુજબ વિદેશથી દેશ તરફ પ્રયાણ વધી રહ્યું છે અને અમિરિકાની નવી નીતિનો શિકાર ભારતીયો પણ બની રહ્યા છે ટ્રમ્પ સરકારની બીજી ઇનિંગ તોફાની રહેશે તેમ અત્રે જણાવ્યું હતું અને ધીમે ધીમે ભારતનું બુદ્ધિધન યુવાધન અને ધનિક વર્ગ દેશમાં જ પ્રગતિ કરવાનું વિચારશે તે સમય હવે આવી ગયો છે. છ ગ્રહોની યુતિ અને આવી રહેલા ગ્રહણની અસર તળે ઘણા દેશો તેમની વિદેશનીતિ ધરમૂળથી બદલી રહ્યા છે જે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં સાધનાની વાત કરીએ તો વ્યક્તિના જન્મ સમયે જે સ્થાનમાં સૂર્ય હોય તે સ્થાનમાં દિવસ કે રાત્રી દરમિયાન જ્યાં સૂર્ય હોય એ સમયે સાધના કરવાથી વિશેષ લાભ થાય છે અને ગ્રહોના રાજા સૂર્યજે સાદ્રશ્ય દેવ છે તેના આશિષ પ્રાપ્ત થાય છે જે યશ પ્રતિષ્ઠા અને કીર્તિ અપાવનાર બને છે માટે જે સ્થાનમાં સૂર્ય હોય તે મુજબ સમય પસંદ કરી સાધના કરવાથી વિશેષ લાભ થાય છે વહેલી સવારે સૂર્ય પ્રથમ સ્થાનમાં હોય છે ત્યારબાદ આશરે બે બે કલાકના અંતરે અનુક્રમે બારમે ,અગિયારમે એ રીતે આગળ વધે છે માટે જન્મકુંડળીમાં સૂર્યનું સ્થાન જોઈ આ માટે સમય નક્કી કરવો જોઈએ અને ખાસ બીજ મંત્ર સાથે ગાયત્રી સાધના કરવાથી જીવનમાં તમામ સ્તરે પ્રગતિ થતી જોવા મળે છે કેમ કે ગાયત્રી સાધના એ સૂર્ય સાધના છે અને અંધકારથી પ્રકાશ તરફ લઇ જનારી સાધના છે જેનું જ્યોતિષશાસ્ત્રમાં પણ અનેરું મહત્વ છે.