તા ૩૧.૧૨.૨૦૨૪ , મંગળવાર ,સંવંત ૨૦૮૧, પોષ સુદ એકમ , પૂર્વાષાઢા નક્ષત્ર , ધ્રુવ યોગ, કિંષતુઘ્ન કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે .
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): મિત્રોની મદદ મળી રહે,કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ) : નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–પોષ માસની ગુપ્ત નવરાત્રી શરુ થઇ રહી છે.
અગાઉ અત્રે લખ્યા મુજબ નીચસ્થ અને વક્રી મંગળની વાયુતત્વ પર અને શનિ પર દ્રષ્ટિથી હવાઈ અકસ્માતોનો સિલસિલો અને અન્ય અકસ્માતોનો સિલસિલો જોવા મળી રહ્યો છે અને વિશ્વમાં એક અજીબ જ કોલાહલ જોવાઈ રહ્યો છે. આજરોજ મંગળવાર ને પોષમાસ શરુ થઇ રહ્યો છે સાથે સાથે પોષની ગુપ્ત નવરાત્રી શરુ થઇ રહી છે. વર્ષ ૨૦૨૫ શરુ થવા જઈ રહ્યું છે ત્યારે અનેક અટકળો અને ભવિષ્યની બાબતો સામે આવી રહી છે વળી હાલમાં લાંબા સમય માટે સેનાપતિ મંગળ મહારાજ નીચસ્થ ચાલવાના છે અને શનિ મહારાજ એપ્રિલ સુધી કુંભ રાશિમાં છે ધીમે ધીમે તેનું રાહુ સાથેનું અંતર ઘટતું જાય છે જે અનેક નવી શતરંજની ચાલ દર્શાવે છે. પોષ માસ ગુપ્ત નવરાત્રી માતાજીની સાધના માટે અને દશ મહાવિદ્યા સાધના માટે શ્રેષ્ઠ ગણી શકાય. હાલના ગોચર સમયમાં માતા દુર્ગા અને અન્ય દેવી સાધના વિશેષ ફળદાયી નીવડે ખાસ કરીને ક્રૂર ગ્રહોની શાંતિ માટે દેવી સાધનાનું વિશેષ મહત્વ છે મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે આ સમયમાં જો દેવી કવચ, દુર્ગા સપ્તશતી , અર્ગલા કે સિદ્ધ કુંજિકા સ્તોત્રનું અનુસ્થાન કરવામાં આવે તો સુંદર પરિણામ આપી શકે છે આ ઉપરાંત આ સમયમાં દશ મહાવિદ્યાને સમજીને જો યોગ્ય ગુરુની રાહબરી નીચે અનુસ્થાન કરવામાં આવે તો અનંત ઉર્જાનું આહ્વાન કરી શકાય છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
799 0500 282