Abtak Media Google News

તા. ૨૮.૧.૨૦૨૩ શનિવાર

સંવંત ૨૦૭૯ મહા સુદ સાતમ

નક્ષત્ર: અશ્વિની 

યોગ: સાધ્ય

કરણ: વિષ્ટિ   

આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  મેષ (અ,લ,ઈ) રહેશે.

મેષ (અ,લ,ઈ): અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .

વૃષભ (બ,વ,ઉ): તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

કર્ક (ડ,હ): નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.

સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ): અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.

તુલા (ર,ત): દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય): કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

મકર (ખ,જ): નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

કુંભ (ગ,સ,શ ): સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

શનિવારે જન્મેલા લોકો ચમક દમક પસંદ નથી કરતા

અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાનની હાલત વધુને વધુ ખરાબ થતી જાય છે અને તેની મુદ્રા દિનબદિન નીચે પડી રહી છે બીજી તરફ હાલમાં રશિયા જે હાલતમાં છે તે હાલતમાં ધીમે  ધીમે ચીન આવતું  જાય છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું તો બુધ મહારાજ ધનમાં એકલા પડતા જ શેરબજારમાં કડાકો થવા પામ્યો છે વળી નવા નિયમ અમલી બન્યા છે.

આજરોજ  ૨૮.૧.૨૦૨૩ ને શનિવાર છે જે મિત્રો શનિવારે જન્મેલા હોય તે ઉદ્યમી હોય છે અને તેમના જીવનમાં ભાગ્યોદય પણ ઉદ્યમથી જ થતો હોય છે શનિવારે જન્મેલા જે મિત્રો આળસ કરતા હોય તેમને શનિદેવ પૂર્ણ ભાગ્યોદય નથી આપતા શનિવારે જન્મેલા લોકો ચમક દમક પસંદ નથી કરતા અને સત્યની નજીક રે છે વળી ન્યાયપ્રિય હોય છે અને કોઈ પણ પરિણામ મહેનતથી મેળવવાનું પસંદ કરતા હોય છે.

જે મિત્રો શનિવારે જન્મેલા હોય તેઓ હનુમાનજી મંદિર માં સેવા કરે તો વિશેષ લાભ પ્રાપ્ત થતો હોય છે આવા લોકો એકાંતપ્રિય જોવા મળે છે અને શાંતિ થી પોતાનું કાર્ય કરવામાં માને છે. શનિ પ્રધાન લોકો અદાલતો માં લેબર માં અને કન્સ્ટ્રક્સન લાઈનમાં તથા કાળી વસ્તુઓ સાથે વધુ લેણદેણ ધરાવે છે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.