તા ૧૪.૨.૨૦૨૫ , શુક્રવાર ,સંવંત ૨૦૮૧, મહા વદ બીજ, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર , અતિ. યોગ, તૈતિલ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
જ્યોતિષશાસ્ત્રમાં જન્મકુંડળીમાં ઉદિત લગ્ન અને તેનો સ્વામી એટલે કે લગ્નેશ વિશેષ મહત્વ ધરાવે છે કેમ કે એ જાતકની મનોવૃત્તિ પણ રજૂ કરે છે. જો લગ્નેશ લગ્નમાં બેસે તો સારું પરિણામ આપે છે અને વ્યક્તિનું આધિપત્ય રહે છે તથા તે સારી રીતે જીવનમાં આગળ વધે છે તથા તેનું વલણ સ્વતંત્રતા વાળું હોય છે તે કોઈ પર આધારિત રહેતો નથી અને ચંચળ સ્વભાવ ધરાવે છે જયારે લગ્નેશ બીજા સ્થાનમાં હોય ત્યારે જાતક જ્ઞાની બને છે અને ધનવાન બને છે તથા પરિવાર માટે જીવતો હોય છે. જો લગ્નેશ ત્રીજે હોય તો જાતક પરાક્રમી બને છે અને અનેક વિદ્યાનો જાણકાર બને છે અને તેના હાથમાં હુનર હોય છે જયારે ચોથે હોય ત્યારે મકાન વાહન અને સંપત્તિ ભોગવનાર થતા માતા અને પિતાનો પ્રેમ મેળવનાર હોય છે. પાંચમે હોય તો રાજ્યમાં અને સત્તામાં એ સારું માન મેળવે છે જયારે છઠે હોય તો વારંવાર શત્રુનો સામનો કરવો પડે છે તથા તબિયતની કાળજી રાખવી પડે છે આ જ રીતે લગ્નેશ સાતમે હોય તો તેના જીવનમાં ભાગીદાર અને લાઈફ પાર્ટનરનું વિશેષ મહત્વ હોય છે તથા પોતાની વાત તેમની પાસે માનવી શકતો હોય છે પણ તેને બહાર ફરવાનું વધુ આવે છે અને સમાજના સારા નરસા અનુભવમાંથી પસાર થવું પડે છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨