Abtak Media Google News

કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ આસો વદ તેરસને રવિવારે તા .૨૩.૧૦.૨૨ સાંજે .૬ વાગ્યા સુધી તેરસ તિથિ છે . ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે આથી રવિવારે સાંજ થી કાળી ચૌદશ છે

કાળી ચૌદશને રૂપચતુદર્શી નરક ચતુદર્શી , વૈકુંઠચતુદર્શી અને કાળ ચતુદર્શી પણ કહેવામાં આવે છે કાળી ચૌદસના દિવસે સવારે નિત્ય કર્મ કારી તલનું તેલ શરીરે ચોપડી ત્યારબાદ સ્નાન કરવાની અભ્યગ સ્નાન કહેવાય છે આનાથી આરોગ્ય સારું રહે છે, ત્યારબાદ પિતૃતર્પણ કરી શકાય , કાળી ચૌદશના દિવસે દરેક તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને જળમાં ગંગાજીનો વાસ હોય છે . આથી તેલ ચોપડી સ્નાન કરી અને તર્પણ કરવાથી પિતૃઓના આશિર્વાદ મળે છે અને આરોગ્ય પણ સારું રહે છે

કાળી ચૌદશના દિવસે સુરાપુરા અને કુળદેવીને નેવેદ્ય ધરાવાનું પણ મહત્વ છે જે લોકોને સાંજના નિવેદ થતા હોય તેઓએ રવિવારે સાંજના કરવા અને જે લોકોને બપોરના નિવેદ થતા હોય તેઓએ સોમવારના બપોરના નિવેદ કરવા

. કાળી ચૌદશના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલદી સિદ્ધ થાય છે . કાળી ચૌદશના દિવસે હનુમાન ચાલીસાના ૧૧ અથવા ૨૧ પાઠ કરવા અને હનુમાનજી દાદાને તેલ સિંદૂર અને અડદ ચડાવવા જીવન મા રાહત મળશે અથવા તો સુન્દરકાંડના પાઠ કરવા જોઈએ તે ઉપરાંત કાલ ભૈરવ ઉપાશના બગલામુખી ઉપાસના કરવી ઉત્તમ છે

કાળી ચૌદસના દિવસે સાંજના સમયે ઘરમાં મંદિર પાસે યમદેવ ના ૧૪ તેલના દીવા કરવા પ્રાર્થના કરવી અમારા પરિવારજ નો ને અને મને યમ યાતનાનો મળે આમ કરવાથી યમ યાતના મળતી નથી અને રક્ષા પણ થાય છે અને આરોગ્ય પણ સારું રહે છે ‘ ધન , મકર , કુંભ રાશીના લોકોને સાડા સાતી ચાલી રહી છે . તેમણે હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી પનોતીમાં રાહત મળે છે . શાસ્ત્રી રાજદીપ જોશી ( વૈદાંત રત્ન )

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.