Abtak Media Google News

કિર્તીદાન ગઢવી તથા સુરભીના કલાકારો ગરબામાં ચાર ચાંદ લગાવશે

રાજકોટ સિટી પોલીસ પરિવાર અને રાજકોટ શહેરની સામાન્ય પ્રજાના સમન્વય નવરાત્રી મહોત્સવમાં પોલીસ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. શહેર પોલીસ અને તેના પરિવારજનો માટે કાલે સાંજે ૭ કલાકે ‘અબતક’ સુરભી ગ્રાઉન્ડ રેસકોર્ષમાં જાજરમાન રાસોત્સવ યોજાશે. સુપ્રસિધ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી તા સુરભીના કલાકારો આ ગરબામાં ચાર ચાંદ લગાવશે. મહાઆરતીમાં પોલીસ અધિકારીઓ, ઉપરાંત મહાનુભાવો પણ જોહાશે. શહેર પોલીસ પરિવાર આયોજિત આ નવરંગ નવરાત્રીના આયોજનમાં શહેર પોલીસને સપરિવાર પધારવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.