Abtak Media Google News

જેતપુર, જામનગર, વિછીંયાના તાલુકા વિકાસ અધિકારી બદલાયા ઉપલેટાની નવી નિમણુંક

અબતક, રાજકોટ

રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ દ્વારા આજે તાલુકા વિકાસ અધિકારીની સામુહિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના 13 સહિત રાજ્યના 58 ટીડીઓની બદલીજેતપુર, જામનગર, વિછીંયા અને ઉપલેટામાં નવા તાલુકા વિકાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.વધુ વિગત મુજબ જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહયા છે. ત્રણ વર્ષથી વધુ સમય ફરજ બજાવતા અને ખાલી જગ્યાઓ ભરવા ચુંટણી પંચે આપેલા આદેશને પગલે પંચાયત વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીના બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

જેમાં ધારીના એમ.જી.રાવને વડોદરા, તળાજાના કિરણભાઈ પરમારને સાવરકુંડલા, પાલીતાણાના રીપલબેન ચૌધરીને બોરસદ, વંથલીના પી.એલ.વાઘાણીને જેતપુર, અબડાસાના શૈલેષકુમાર ભટ્ટને ધારી, જેતપુરના નીશાંત કુંગશીયાને વાડુલી, જામકંડોરણાના ડી.આર.બગથરીયાને ઉના, ઉનાના એસ.બી.જાડેજાને ઉપલેટા, અંજારના રાજેશકુમાર ત્રિવેદીને જોટાણા, સાવરકુંડલાના પી.સી.પરમારને ચોટીલા, અમરેલીના તપન ત્રિવેદીને નસવાડી, વિસાવદરના સુબોધકુમાર દુદકીયા ખેરાલુ, વિછીંયાના ડી.કે.પરમારને વાંકાનેર, રાણાવાવના સનાભાઈ કોલચા, દેવગઢ બારીયા, જુનાગઢના જયદીપકુમાર પટેલને બહુચરાજી ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે નસવાડીના એસ.જે.ચૌધરીને પાલીતાણા, ભાનપુરના જે.આર.રાઠવાને માંડવી, ખેડાના એચ.એમ.ભાસ્કરને જામકંડોરણા, કરજણના પી.ડી.સેનમા અંજાર, દેશર ડી.પી.લાડુમોર તળાજા, ખેડાના પારસ ચૌહાણને વંથલી, નર્મદાના હસમુખ રાઠવાને અબડાસા અને બહુચરાજી આર.વી.ઠાકોરને જુનાગઢ ખાતે નિમણુંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.