Abtak Media Google News

રોહિતને આગામી અશોક માટે સુકાની પદ તરીકે તૈયાર કરવા માટે તક પણ મળી શકે છે

ન્યૂઝીલેન્ડ ની ટેસ્ટ સિરીઝ બાદ સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખેડવા માટે ભારતીય ટીમ નું સુકાનીપદ કોણ સંભાળશે તે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે આફ્રિકાનો પ્રવાસ અને વિરાટનું સુકાનીપદ જાણે બંને દાવ પર લાગ્યા હોય તેવી સ્થિતિનું પણ પણ થયું છે. બીજી તરફ એ વાત ઉપર પણ સ્પષ્ટતા થઇ રહી છે કે આગામી વિશ્વ કપ માટે ભારતીય ટીમના સુકાની પદ તરીકે રોહિત શર્માને તક પણ મળી શકે છે. વધુમાં મળતી વિગતો મુજબ ચેતન શર્મા કે જેવો નેશનલ સિલેક્શન કમિટીમાં કાર્યરત છે તેઓ આ સપ્તાહમાં વન-ડે ટીમ માટેના સુકાની અંગે નિર્ણય લેશે.

બીજી તરફ વર્ષ 2022 માં ટી-20 મેચો સૌથી વધુ માત્રામાં જોવા મળશે જે ઓસ્ટ્રેલિયા ખાતે યોજાસે. અવાજ કુલ નવ ઓડીઆઈ આવનારા સાત માસમાં રમાય તેવી શક્યતા છે જેમાંથી ત્રણ વન ડે સાઉથ આફ્રિકા અને ત્રણ વન-ડે ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. વિશ્વકપ પૂર્વે સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે જેમાં વિરાટ કોહલીને યથાવત સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવશે અથવા તો આગામી 2023 ના વિશ્વ કપને ધ્યાને લઇ સમગ્ર ટીમ ઉપર ધ્યાન કેન્દ્રિત થાય તે માટે રોહિત શર્માને પણ સુકાની બનાવી શકે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

વિરાટ કોહલી અંગે જો વાત કરવામાં આવે તો તે વંદે મા ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ સામે તેની કાંઈ ના પણ હેઠળ એક પણ મોટી ભારતીય ટીમ જીતી શકી નથી. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે આગામી દિવસોમાં જ ભારતીય ટીમના ખેલાડીઓ નું નામ સામે આવી જશે. અત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આફ્રિકાના પ્રવાસ પૂર્વે જ વિરાટનું સુકાનીપદ દાવ પર લાગ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.