Abtak Media Google News

ટીવી અને મનોરંજનની દુનિયા માટે આજે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

51 વર્ષીય એકટર નાસિક નજીક શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત બગડી, હાર્ટ એટેકના કારણે નિધન થયાનું તારણ

“ટીવી સિરિયલ ‘અનુપમા’ ફેમ એક્ટર નિતેશ પાંડેનું નિધન થયું છે. આ એક્ટરનું 51 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે તેઓ નાસિક નજીક શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત બગડી હતી. નીતિશે ઓમ શાંતિ ઓમ, દબંગ 2 અને ખોસલા કા ઘોસલા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા અને ઘણા લોકપ્રિય શોનો ભાગ રહ્યા છે. જણાવી દઈએ કે સારા ભાઈ વર્સિસ સારા ભાઈ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મોત સમાચાર ગઈકાલે રાત્રે જ આવ્યા હતા. આ ઉપરાંત સ્પ્લિટ્સવિલા ફેમ આદિત્ય સિંહ રાજપૂતનું પણ 2 દિવસ પહેલા જ નિધન થયું હતું.

17 જાન્યુઆરી 1973 ના રોજ નિતેશ પાંડેનો જન્મ થયો હતો. એક્ટિંગના શોખીન નીતિશે 1990માં થિયેટરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તેઓ મંજિલ અપની અપની, અસ્તિત્વ એક પ્રેમ કહાની, પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યાર, સાયા, જૂસ્તુજુ, દુર્ગો નંદીની જેવા શો માં મહત્વપૂર્ણ રોલમાં નજર આવ્યા હતા. તેઓ રૂપાલી ગાંગુલીનો ફેમશ શો અનુપમા માં ધીરજ કપૂરના પાત્રમાં નજર આવ્યો હતો. નીતિશ પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે એક્ટ્રેસ અશ્વિની કલેસકર સાથે 1998માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2002માં તે બંને અલગ થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.