Abtak Media Google News

બોટાદના સુંદરયાણાનો પરિવાર કોળી પાક ના દરિયા કિનારે ફુલ પધરાવવા જતા વેળાએ નડયો અકસ્માત

ભાવનગર-ધંધુકા ધોરી માર્ગ પર આવેલા વલ્લભીપુર નજીક બોલેરો વહેલી સવારે પલ્ટી જતા બેના મોત નિપજયા છે. જયારે 18 લોકો ઘવાતા સારવાર અર્થે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.

વધુ વિગત મુજબ બોટાદ જિલ્લાના સુંરરયાણા ગામનો વાલ્મીકી પરિવાર ઘોઘ નજીક કોળીપાક દરિયા કિનારે આવેલા નિલકંઠ મહાદેવ મંદિરે ફુલ પધારવવા બોલેરોમાં વહેલી સવારે નીકળ્યા હતા.

વલ્લભીપુર ગામ નજીક પાટણા ગામ પાસે પહોચ્યા ત્યારે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલ્ટી જતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા મોહનભાઇ વાળા (ઉ.વ.પ0) અને અજય બહાદુરભાઇ વાળા (ઉ.વ.17) નું મોત નિપજયું હતું. જયારે બોલેરોમાં સવાર અન્ય બાળકો, મહિલા અને વૃઘ્ધો મળી 18 લોકો ઘવાતા 108 મારફતે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ વલ્લભીપુર પોલીસ મથકના પી.એસ.આઇ. પી.ડી. ઝાલા સહીતના સ્ટાફે દોડી જઇ મૃતકનું પી.એમ. કરાવી મૃતદેહ સોંપી કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.