Abtak Media Google News

મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર પાસે માહિતી એકત્રિત કરી તત્કાલ રિપોર્ટ આપવાના આપ્યો આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ધટનાને પગલે બે કામદારો ના મૃત્યુ  થયા છે તેમને અને જે કામદારોને ઇજા પહોંચી છે અને ધાયલ થયા છે

તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા અને  સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૂચના આપી છે.

મુખ્યમંત્રી આ બ્લાસ્ટની દુર્ધટનાની વધુ વિગતો માટે જિલ્લા કલેક્ટરના સતત સંપર્કમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.