Abtak Media Google News

ઓખાના ક્ષત્રીય વાધેર સમાજના અરવિંદસિં ગાભાભા માણેક તથા કિશનસિંહ માયાભા કેર નામના બન્ને યુવાનો રાજકોટ તથા સુરતમાં દર વર્ષે યોજાતી મેરોથોન દોડમાં અવલ નંબર રહે છે. બન્ને યુવાનો દ્વારા પોતામાં રહેલી આતરીક શકતીઓને માપવા ઓખાથી હર્ષદ માતાના મંદીરની ૧૦૦ કી.મી. ની મેરેથોન દોડ લગાવી હતી.

જે દોડ તેઓએ ૧૩ કલાકમાં પુરી કરી ઓખાથી સાંજે સાત વાગ્યે શરુ કરેલી બીજે દિવસે સવારે આઠ વાગ્યે હર્ષદમાતાના મંદીર બન્ને યુવાનોએ શીશ ઝુકાવ્યું હતું રાત્રી મુસાફરીમાં તેમની સાથે બે બાઇક સવારો સાથે રહ્યા હતા. આ સહાસીક કાર્ય બદલ ઓલ ઇન્ડીયા ક્ષત્રીય વાધેર સમાજના પ્રમુખ શ્રી પબુભા માણેકે તેમને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.