Abtak Media Google News

ચોટીલા ના પ્રખ્યાત ચામુંડા અતિથી ગૃહ ટ્રસ્ટ ના પ્રમુખ અને રાજવી પરિવાર ના મહાવીરભાઇ દાદાબાપુ ખાચર દ્વારા ચોટીલા માં કોરોના ના દર્દી ઓ માટે અત્યારે અતિ આવશ્યક ઓક્સીજન ના બે મશીન નો ઓર્ડર આપી અતિ પ્રસંશનીય કામગીરી કરી છે. ચોટીલા માં કોરોના ના કારણે અત્યારે અનેક દર્દીઓ ને ઓક્સીજન વિના ખુબ જ ગંભીર હાલત થાય છે ત્યારે ચોટીલા ચામુંડા અતિથી ગૃહ ટ્રસ્ટ ના પ્રમુખ અને રાજવી પરિવાર ના મહાવીરકુમાર દાદાબાપુ ખાચરે આ ગંભીર પરિસ્થિતિ માં કોઇપણ દર્દી ઓક્સીજન વિના પરેશાન ના થાય તે માટે ચામુંડા અતિથી ગૃહ દ્વારા ઓક્સીજન ના બે કિંમતી મશીનો નો ઓર્ડર આપી દીધો છે.

ચોટીલામાં જ ઓકસીજન કોરોના ના દર્દીઓ ને સાવ આસાનાથી મળી રહે તે માટે આ અતિથી ગૃહ ટ્રસ્ટ ના પ્રમુખ મહાવીરભાઇ ખાચરે તેમના પુર્વજો ની લોકસેવાકીય આ પરંપરા ચાલુ રાખી છે.ગુજરાત માં છપનીયા ના કારમા દુષ્કાળ સમયે મહાવીર ભાઇ ખાચર ના પરદાદા સાર્દુળબાપુ ખાચરે ચોટીલા પંથક માં પાણી માટે તલસતા લોકો માટે તળાવો બનાવ્યાં હતાં અને તે કપરા દુષ્કાળ માં લોકો ને ત્યારે મોટી રાહત મળી હતી ત્યારે મહાવીરભાઇ ખાચરે તેમના પુર્વજો ની પ્રજાજનો ની સેવાકીય પરંપરા ની સરવાણી અત્યારે પણ જીવંત રાખી ને અનેરી સુવાસ ફેલાવી છે. ચોટીલા ચામુંડા અતિથી ગૃહ માં ઓક્સીજન ના બે મશીનો ટુંક સમય માં જ કોરોના ના દર્દીઓ માટે આશીર્વાદરૂપ નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.