- વઢવાણના ભોગાવો નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે કિશોરોના નીપજયા મો*ત
- બંને મૃ*તકોના મૃ*તદેહને PM અર્થે વઢવાણની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે
- પોલીસ આ દુઃખદ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે
ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અને કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો ગરમીથી બચવા નદીમાં, તળાવમાં. સ્વિમિંગ પુલમાં કે ચેકડેમમાં નાહવા માટે જતાં હોય છે. ત્યારે નાહવા જતાં કોઈને કોઈ કારણોસર મોત થતાં હોય છે. આવો જ એક બનવા સામે આવ્યો છે. સુરેન્દ્રનગર વઢવાણની ભોગાવો નદીના ચેકડેમમાં ડૂબી જવાની એક દુઃખદ ઘટના બની છે. વઢવાણના ભોગાવો નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે કિશોરોના નીપજયા મો*ત નિપજ્યાં હતા. સમગ્ર ઘટનામાં બે કિશોરોના મો*ત નીપજ્યા છે.
સમગ્ર બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંને કિશોરોના મૃ*તદેહને બહાર કાઢી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃ*તકોની ઓળખ જોરાવરનગરના 13 વર્ષીય સુમીત રાઠોડ અને 14 વર્ષીય તન્મય ચૌહાણ નામના કિશોરો તરીકે થઈ છે.
ઘટનાસ્થળે વઢવાણ પોલીસ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જો કે, સ્થાનિક લોકોમાં આ ઘટનામાં 3 થી 4 લોકો ડૂબ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. હાલમાં, બંને મૃ*તકોના મૃ*તદેહને પોસ્ટમોર્ટમ અર્થે વઢવાણની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ આ દુઃખદ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
અનુસાર માહિતી મુજબ, વઢવાણ રોડ પર ચેકડેમમાં ન્હાવા પડેલા બે યુવકના ડૂબી જતા મો*ત નિપજ્યાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ જોરાવરનગર વિસ્તારમાં રહેતા બે યુવક ચેકડેમમાં નહાવા ગયા હતા. સમગ્ર બનાવને લઇ બંનેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ અને મનપાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બંને યુવકોને ભારે જહેમત બાદ ચેકડેમમાંથી બહાર કાઢ્યાં હતા. પોલીસે બંને યુવકોના મૃ*તદેહને બહાર કાઢી PM અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. બંને યુવકોના મો*તથી પરિવારજનોમાં ભારે કરૂણાંતિકા છવાઇ છે.