Abtak Media Google News

ભારતીય રેલ્વે અકસ્માતોને રોકવા માટે ટેકનોલોજી પર ભાર મૂકી રહી છે. અલબત્ત, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અકસ્માત એવા થયા છે જ્યારે એક જ ટ્રેક પર બે ટ્રેનો એક સાથે આવી હતી. પરંતુ આવનારા દિવસોમાં રેલવે આવા અકસ્માતો ટાળશે. જો એક જ ટ્રેક પર બે ટ્રેન આવે તો પણ તેમની વચ્ચે કોઈ ટક્કર નહીં થાય. એક વિશેષ ઉપકરણ આ અશક્ય કાર્યને શક્ય બનાવશે.

એક જ ટ્રેક ઉપર સામસામે આવી જતી ટ્રેનથી થતા અકસ્માતોને રોકવા માટે પૂર્વોત્તર રેલવે દ્વારા ખાસ સિસ્ટમ વિકાસવામાં આવી છે.

પૂર્વોત્તર રેલ્વે ખાસ સિસ્ટમનું અમલીકરણ કરવાની તૈયારીમાં

ટ્રેનમાં આ વિશેષ ડિવાઇસ ઇન્સ્ટોલ થયા પછી, એક ટ્રેક પર બે ટ્રેનોના આગમન પહેલાં જ સ્વચાલિત બ્રેક લાગુ થઈ જશે. આ માટે ટ્રેનોના એન્જિનમાં ટ્રેન કોલીઝન એલોવેડન્સ સિસ્ટમ (ટી કેશ) લગાવવામાં આવશે. ઉત્તર-પૂર્વ રેલ્વેએ આ વિશેષ ઉપકરણને ઇન્સ્ટોલ કરવા માટે તૈયારી છે. રેલ્વે બોર્ડ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ટ્રેનોના એન્જિનમાં આ ડિવાઇસ લગાવવાની પ્રક્રિયા શરૂ થશે.

સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે

આ ઉપકરણને એન્જિનમાં મૂકતા પહેલા રેલ્વે સ્ટેશનો પર તેમજ ટ્રેકની બાજુમાં ઠેર ઠેર મૂકવામાં આવશે.આ હાઈ ફ્રીકવનસીના આધારે કાર્ય કરે છે. આ ઉપકરણ દ્વારા લોકો પાઇલટ જરૂરી માહિતી મેળવશે. જેના પરિણામે ડિવાઇસથી સજ્જ ટ્રેન એક જ ટ્રેક પર ટકરાતા અટકાવશે. જો એક ટ્રેક પર બે ટ્રેન આવી હોય અથવા બીજી ટ્રેન એક ટ્રેનની પાછળથી ઓટોમેટિક બ્લોક સિસ્ટમ હેઠળના બે સ્ટેશનો વચ્ચે દોડી રહી હોય તો ત્યાં કોઈ ટકરાશે નહીં. ટી કેશ ડિવાઇસથી સજ્જ ટ્રેન યોગ્ય અંતરે બ્રેક લગાવશે અને અકસ્માત અટકી જશે. ઉત્તરપૂર્વ રેલ્વેએ લખનઉના આરડીએસઓ ખાતે સફળ પરીક્ષણ કર્યા પછી આ ઉપકરણને ટ્રેનના એન્જિનમાં સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.