Abtak Media Google News

એક કોંગો અને ત્રણ સ્વાઈન ફલુના દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ

સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઈનફલુએ મચાવેલા કહેર સામે પ્રજાને બચાવવાના પ્રયાસમાં આરોગ્ય તંત્ર જાણે નિષ્ફળ રહ્યું હોય તેમ રાજકોટમાં બે મહિલાના સ્વાઈન ફલુથી મોત નિપજયા છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષની મહિલા દર્દીને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાતા જયા તેણીનું મોત નિપજયું હતુ.

જયારે બીજા બનાવમાં સંતકબીર રોડ પર રાજારામ સોસાયટી શેરી નં.૨માં રહેતા જયાબેન છનાભાઈ કયારા નામના ૭૦ વર્ષના પટેલ વૃધ્ધાને સ્વાઈનફલુની સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ગત તા.૨૦ના રોજ દાખલ કરાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં કાલે બપોરે ખસેડાયા હતા જયાં વૃધ્ધાએ આજે વહેલી સવારે હોસ્પિટલના બિછાને દમ તોડયો હતો.

હજુ સીવીલ હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં એક કોંગો ફીવર અને ચાર સ્વાઈન ફલુની સારવાર લઈ રહ્યા છે. જયારે બેના રીપોર્ટ હજુ આવવાના બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.