Abtak Media Google News

અબતક, રાજકોટ :

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાને લઈને ટોચના તબીબો સાથે બેઠક કરી છે. ગુજરાતમાંથી ડો.તેજસ પટેલ, ડો.અતુલ પંડ્યા, ડો. અનિલ નાયક, ડો.મેહુલ શાહે હાજર રહી મહત્વના સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં દેશની તમામ એઇમ્સ, આર્મ ફોર્સ અને આઈએમએમાં મુખ્ય ડોકટરો સહિત કુલ 123 તબીબોની મિટિંગમાં ઉપસ્થિતિ રહી હતી.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને મેડિકલ ઓક્સિજનના સંદર્ભમાં માળખાગત સુવિધાઓ પર નજર રાખવાની સલાહ આપી હતી. આરોગ્ય પ્રધાનની સલાહ એવા સમયે આવી છે જ્યારે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટને કારણે કોવિડ-19 સંક્રમણ કેસોમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે કોવિડ-19 સમીક્ષા બેઠકને સંબોધતા માંડવીયાએ  વિનંતી કરી હતી કે તેઓ સુનિશ્ચિત કરે કે “તમામ પ્રકારના ઓક્સિજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એવી રીતે તપાસ કરવામાં આવે કે તે ચાલુ સ્થિતિમાં હોય.

ગુજરાતમાંથી ડો.તેજસ પટેલ, ડો.અતુલ પંડ્યા, ડો. અનિલ નાયક,
ડો.મેહુલ શાહે હાજર રહી મહત્વના સૂચનો આપ્યા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુજરાત સહિત સાત રાજ્યોને મેડિકલ ઓક્સિજનનો સપ્લાય સુનિશ્ચિ કરવાનો તથા હોસ્પિટલોને તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. આ બેઠક બપોરે 3:30 વાગ્યે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવના આરોગ્ય મંત્રીઓ સાથે યોજાઈ હતી.

દેશની તમામ એઇમ્સ, આર્મ ફોર્સ અને આઈએમએમાં મુખ્ય ડોકટરો
સહિત કુલ 123 તબીબોની મિટિંગમાં ઉપસ્થિતિ

ત્યારબાદ હવે આજરોજ સવારે 11:30 વાગ્યે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ દેશના ટોચના તબીબો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના નિષ્ણાંત ડો.તેજસ પટેલ, ડો.અતુલ પંડ્યા, ડો. અનિલ નાયક, ડો.મેહુલ શાહ તેમજ દેશની તમામ એઇમ્સ, આર્મ ફોર્સ અને આઈએમએમાં મુખ્ય ડોકટરો સહિત કુલ 123 તબીબો સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં સરકારી સંસ્થાનો જેવી કે આઇસીએમઆરના અધ્યક્ષ પણ જોડાયા હતા. ઉપરાંત સરકારના કેન્દ્રીય આરોગ્ય સચિવ કક્ષાના અધિકારીઓ જોડાયા હતા. તમામ તબીબો અને અધિકારીઓ સાથે કોરોનાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ તબીબો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આમ તો ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તેવામાં સરકાર એલર્ટ થઈ ગઈ છે. તમામ તકેદારીના પગલાં સાથે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી દેવામાં આવી છે. ત્યારે પરિસ્થિતિની સમીક્ષા તેમજ સૂચનો લેવા માટે આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા બેઠકોનો દૌર ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.