કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આવેલા હેલિપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતાં તેમનું સહકાર રાજ્યમંત્રી જગદિશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
મંત્રીના સ્વાગત-સત્કાર માટે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મુછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીન જાની, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈ.જી. નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી સર્વ ઝવેરીભાઈ ઠકરાર, સંજય પરમાર, મહેન્દ્ર પીઠિયા, રાજશી જોટવા, માનસિંહ પરમાર, ડોલર કોટેચા, ગીરીશ કોટેચા, ગૌરવ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, હેલિપેડ ખાતે ઉતર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ભગવાન સોમનાથની દર્શન અને પૂજા-અર્ચન કરીને તેમના આગળના કાર્યક્રમ માટે કોડિનાર ખાતે રવાના થશે. ગૃહમંત્રી બપોર બાદ કોડિનાર સુગર મિલના મેદાનમાં તાલાલા અને કોડિનાર સુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણ કાર્યનું ભૂમિપૂજન કરશે.