- સાંસદ દ્વારા દોઢ દાયકાથી જોડીયામાં બોર્ડ પરીક્ષા દરમિયાન ભોજનની કરાઇ વ્યવસ્થા
- પરીક્ષાર્થીઓ, વાલીઓ, પરીક્ષાર્થીઓના વાહન ચાલકો, સહિત 700થી વધુ લોકો માટે વ્યવસ્થા
- લોહાણા મહાજન વાડી-જોડીયા ખાતે સમગ્ર વ્યવસ્થા કરાઇ
જામનગરના જોડીયામાં બોર્ડની પરીક્ષા માટે આવેલા વિધાર્થી માટે અનોખો સેવાજ્ઞ કાર્યરત છે. બોર્ડની પરીક્ષા બાદ વિધાર્થીઓને ભોજનની વ્યવસ્થા સાંસદ પૂનમ માડમ દ્રારા સ્વ.હેમત માડમ મેમોરીયલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે. ધો. 10 ની બોર્ડની પરીક્ષા સમયે જોડીયાના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓ, વાલીઓ, પરીક્ષાર્થીઓના વાહન ચાલકો, પરીક્ષા વ્યવસ્થાના તમામ શાળાઓના શૈક્ષણિક સ્ટાફ સહીત દરરોજ 700 થી વધુ લોકો માટેની ભોજન વ્યવસ્થા કરાઇ છે. લોહાણા મહાજન વાડી-જોડીયા ખાતે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગરના જોડીયામાં બોર્ડની પરીક્ષા માટે આવેલા વિધાર્થી માટે અનોખો સેવાજ્ઞ કાર્યરત છે. બોર્ડની પરીક્ષા બાદ વિધાર્થીઓને ભોજનની વ્યવસ્થા સાંસદ પૂનમ માડમ દ્રારા ટ્રસ્ટ માધ્યમથી કરવામાં આવે છે.
જોડીયા તાલુકામાં બોર્ડના વિધાર્થીઓ માટે ભોજન અંગેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્વ.હેમત માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સને : 2010 થી સતત જોડીયા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ તા.27/2/2025 થી શરૂ કરવામા આવી છે. ધો. 10 ની બોર્ડની પરીક્ષા સમયે જોડીયાના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા તમામ પરીક્ષાર્થીઓ, વાલીઓ, પરીક્ષાર્થીઓના વાહન ચાલકો, પરીક્ષા વ્યવસ્થાના તમામ શાળાઓના શૈક્ષણિક સ્ટાફ સહીત દરરોજ 700થી વધુ લોકો માટેની ભોજન વ્યવસ્થા તા.27/2/2025 થી પરીક્ષાર્થીઓના પેપરના દિવસોમાં લોહાણા મહાજન વાડી-જોડીયા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે ટ્રસ્ટના પ્રમુખ પૂનમ માડમના સૌજન્યથી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વ્યવસ્થા સંકલન પ્રવિણ માણેક કરી રહ્યા છે.
હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જામનગરના જોડીયા તાલુકામાં બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીની અનોખી રીતે સેવા કરવામાં આવે છે. જોડીયા તાલુકા મથક પર બોર્ડનુ સેન્ટર આવેલુ છે. જયાં આસપાસ આશરે 50 જેટલા ગામના વિધાર્થીઓ પરીક્ષા માટે આવે છે. જોડીયા ગામ નાનુ છે. જયા પરીક્ષા બાદ વિધાર્થી પૈસૈ ખર્ચને પણ ભોજન મળવુ મુશ્કેલ હોય છે. જેને ધ્યાને લઈને જામનગર હેમંત માડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આ વિધાર્થી માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે. પરીક્ષા પુર્ણ કરીને તમામ વિધાર્થી અહી ભોજન લે છે. અને ખુશી વ્યકત કરે છે. બોર્ડ પરીક્ષા બાદ અપડાઉન કરતા વિધાર્થી મોડા ગામ કે ઘરે પહોચે. તેથી કોઈ પરીક્ષાર્થી ભુખ્યા ન રહે તે હેતુથી ભોજનની સેવા આપવામાં આવે છે.
જામનગરના સાંસદ પુનમ માડમને ધ્યાને આવતા, તેમના પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્રારા સતત 15 વર્ષથી આ સેવા કાર્યરત છે. જેમાં હાલ દૈનિક કુલ 700થી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે. વિધાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો કે અન્ય ખાનગી વાહનોમાં આવેલા ડ્રાઈવર સહીતના લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પરીક્ષા શરૂથી અંતિમ દિવસ સુધી ભોજન સેવા ચાલુ રહે છે.
ધાર્મિક સ્થાનોમાં જતા શ્રધ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અનેક જગ્યાઓ પર હોય છે. પરીક્ષા માટે જતા પરીક્ષાર્થીઓ માટે આ પ્રકારની ભોજન વ્યવસ્થા માત્ર જોડીયા હશે.
અહેવાલ : સાગર સંઘાણી