Abtak Media Google News

કાલે સવારે માતાજીનો હવન કરી લોકમળા ખુલ્લો મુકાશે: રાત્રે મ્યુઝીકલ નાઇટનું આયોજન

ભાયાવદરમાં આવેલ ડાકણીયા ડુંગર મા બિરાજતા માં ખોડીયાર ના સાનિઘ્યમાં આવતીકાલ રૂષિ પંચમી અંતગર્ત્ દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસ માટે લોકમેળાનો પ્રારંભ થઇ રહ્યો છે.

જયાં માં ખોડીયાર ના હાજરાહજુર બેસણા છે તેવા ભાયાવદર ના ડાકણીયા ડુંગરના સાનિઘ્યમાં આવતી કાલ તા. 30, 31 અને 1 લી મંગળ, બુધ, અને ગુરુ ત્રણ દિવસ માટે લોકમેળાનો આવતી કાલ સવારે માતાજીનો હવન કરી પ્રારંભ કરવામાં આવશે.

આવતીકાલે સવારે મા ખોડીયારનું ઘ્વજા રોહણ બાદ આઠ વાગે હવનનો પ્રારંભ થશે આ લોકમેળામાં તા. 31 અને 1લી બુધ અને ગુરુ વારે મેળાના ગ્રાઉન્ડમાં પ્રખ્યાત મ્યુઝીકલ નાઇટનું આયોજન કરવામાં આવેલ છે તો આ મેળામાં જાહેર જનતા ને પધારવા મંદિરના મહંત અલ્પેશ ગીરી ગોસ્વામી એ પધારવા અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.