Abtak Media Google News

સત્તા સંભાળ્યા બાદ યોગીએ લીધા ધડાધડ નિર્ણયો: યુપીમાં ગેરકાયદે કતલખાના ગણાશે ગુનાહિત કૃત્ય: બે દિવસમાં એન્ટી રોમિયો સ્કવોડી ૧૦૦૦ હજાર રોમિયોને પકડયા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ યોગી આદિત્યનો વડાપ્રધાન મોદીના સ્વચ્છતાના અભિયાનને ઉપાડી લીધું છે. તેમની પ્રમ કેબીનેટ બેઠકમાં તેમણે સરકારી કચેરીઓમાં પ્લાસ્ટીકના ઉત્પાદનો ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે તેમજ સરકારી સ્ળોએ તમાકુ અને ગુટખાના સેવન ઉપર કડક હો પગલા લેવાનો નિર્ધાર કર્યો છે.

યોગી આદિત્યનો ઉત્તરપ્રદેશમાં ચાલતા ગેરકાયદે કતલખાના સામે પણ લાલ આંખ કરી છે. ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશ દેશનું એવું પ્રમ રાજય બનશે કે જયાં પશુઓના ગેરકાયદે કતલખાનાને ગુનાહિત કૃત્ય ગણવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, આઈપીસી કે સીઆરપીસીમાં ગેરકાયદે કતલખાના સામે કડક કાર્યવાહીની જોગવાઈ ની. આવા કેસમાં પ્રાણીઓ સામે હિંસાનો ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ૫૦ દંડની જોગવાઈ છે. માટે ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે કતલખાના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનો લીધેલો નિર્ણય અતિ મહત્વનો ગણી શકાય.

આ ઉપરાંત યોગી આદિત્યનો ઉત્તરપ્રદેશમાં એન્ટી રોમિયો સ્કવોડના નિર્માણી મહિલાઓના રક્ષણનો નિર્ધાર કર્યો છે. ઉત્તરપ્રદેશમાં મહિલાઓ અસુરક્ષિત હોવાની અનેકવખત બુમ ઉઠી છે. જેના પરિણામે માત્ર બે જ દિવસમાં એન્ટી રોમિયો સ્કવોડના માધ્યમી ૧૦૦૦ી વધુ રોમિયોને ઝડપી પાડયા છે.

સત્તા સંભાળ્યા બાદ તુરંત જ યોગી આદિત્યનો સમાજ અને સ્ળને સ્વચ્છ બનાવવાની કામગીરીમાં ધડાધડ નિર્ણય લેવાનું શ‚ કર્યું છે. સરકારી સ્ળોએ હવેી ગુટખા કે તમાકુના સેવન ઈ શકશે નહીં. ઉપરાંત ગેરકાયદે ધમધમતા કતલખાના અને રોમિયો સામે પણ હવે તંત્ર સખત કાર્યવાહી કરી શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.