Abtak Media Google News

પ્રાચિન કાળથી ઢોલ આપણી સંસ્કૃતિમાં વણાયેલ છે, શુભ પ્રસંગે ઢોલ-નગારાને શરણાઇના સુરે આનંદોત્સવથી ઉજવણી કરીએ છીએ, આપણાં કાઠિયાવાડી સંસ્કૃતિના ગીતો, ગરબા, રાસમાં ઢોલનું વિશેષ મહત્વ છે

ઢોલ પર દાંડી પડે એટલે તેનો અવાજ સમગ્ર વાતાવરણને પ્રફુલ્લીત કરી દે છે. ઢોલ એ બે બાજુવાળા  નળાકાર લાકડાથી બનેલું સાથે બન્ને સાઇડ ચામડાનું પડ ચડાવીને એક સંગીત વાદ્ય બનાવાય છે. લાકડાની દાંડી દ્વારા તેને તાલમાં વગાડાય છે. ઢોર વગાડનારને ઢોલી કે ઢાઢી કહેવાય છે, આનો મુખ્ય ઉપયોગ ગરબા, ભાંગડા કે બિહુ જેવા વિવિધ નૃત્યોમાં થાય છે. ગુજરાતનાં ગરબા ઢોલના તાલ વગર નકામાં ગણાય છે. પંજાબી ભાંગડા નૃત્યુમાં ઢોલ અત્યંત લોકપ્રિય છે. આપણે ત્યાં લગ્ન તથા શુભ પ્રસંગે ઢોલ અચુક વગાડાય છે.

આપણાં લોક વાદ્યોમાં ઢોલનું વિશેષ મહત્વ છે. પ્રાચિન સંગીત વાદ્યોનો આપણાં પ્રાચિન ગ્રંથોમાં ઉલ્લેખ છે. રાજાશાહીમાં પણ લોકોને સંદેશ પહોચાડવા, વાત કહેવા પહેલા ઢોલ વગાડીને બધાનું ઘ્યાન ખેંચતા ને પછી સુચના અપાતી, ભારતીય સંગીતમાં ૩૬ પ્રકારનાં વાદ્યોનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં ઢોલ અતી મહત્વનું છે. તેને મેદાની વાદ્ય પણ કહેવાય છે.

સમુહગાન, અંધનૃત્ય, સવારી અને યુઘ્ધમાં પણ તેનો ઉપયોગ થતો હતો. આ વાદ્ય સિવાય વિશ્ર્વભરમાં એક પણ સારૂ વાદ્ય નથી આપણે ત્યાં ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઢોલ પર વિવિધ તાલે નૃત્ય સાથે રશિયા અને હંગેરી દેશમાં પણ આ ઢોલ ધબુકે છે. ભારતીય લોકસંગીતમાં જેટલું સ્વર વૈવિઘ્ય છે તેટલું લોકનૃત્યમાં પગલાનો થડકાર પણ છે આ બધામાં અવાજન તાલમય નાદ એટલે લોકવાદ્ય ઢોલ છે. ઢોલ લોકોનું વાદ્ય કહેવાય છે. આ વાદ્ય લોકજીવન સાથે વણાયેલ છે.

Images 1573292275413 Hellaro

આપણા પ્રાચિન પુરાવામાં ખજાુરાહોના શિલ્પો કે પાષાણ યુગમાં ઢોલ વગાડતી સ્ત્રીના પુરાવા મળ્યા છે. ઢોલ આદિકાળથી માનવી સાથે જોડાયેલ છે. આપણાં પ્રાચિન ગ્રંથોમાં ભારતીય વાદ્યોને તંતુ, ધન, અવનદ્ય અને સુષિર એમ ચાર વર્ગમાં વહેચવામાં આવ્યા છે. મેદાની કે રણ વાદ્ય તરીકે આપણાં ઉત્સવ, યુઘ્ધ, ધિંગાણા કે સંકટ સામે સંદેશો આપવા વગાડાતો ઢોલ લગ્ન પ્રસંગે મંગલ વાદ્ય પણ બને છે. દુનિયાભરમાં જાુદા જાુદ પ્રકારે આ વાદ્ય છે. ક્ષુણ્ણક કમલ કે આનક તેના નામો છે. તેના વગાડવાના અવાજ પરથી તેને પટહ કે ડિંડીમ પણ કહેવાય છે.

ભારત નાટય શાસ્ત્રમાં ઢોલ, વાદ્ય યંત્રના શોધક તરીકે ‘સ્વાતિ’ નામના ઋષિનું નામ આદીકાળથી જોડાયેલું છે. આ ગ્રંથમાં ૩૩માં અઘ્યાયમાં વાદ્ય ઉત્પતિની કથા જોવા મળે છે. તેની એક વાર્તા પણ આ શાસ્ત્રોમાં આવે છે. ચોમાસાના છાંટા પડે ને તેનો અવાજ ટપ ટપા ટપ જેવા તાલ બઘ્ધ અવાજ  આનો ઉદ્દભવ હોઇ શકે છે. ચામડાથી મઢેલા પુષ્કર ઢોલને અવાજ વાગતા જ ગ્રામ્ય સઁસ્કૃતિ જીવંત થઇ જાય છે. આજે પણ આપણે આપણાં નાના-નાના સંતાનો ને નાનકડા ઢોલ અપાવીએ છે. લોકનૃત્ય હોય કે નવરાત્રીના રસા ગરબા આ બધામાં ઢોલનો ધબકાર વાતાવરણને ઉત્સાહ પ્રેરક બનાવીને બાળથી મોટેરાને રૂમ ઝુમ થવા મજબૂર કરે છે.

લોક વાદ્ય માટે મૂલ્યવાન પ્રાચિન ગ્રંથ ‘ઢોલ સાગર’ નામે જાણીતો જેમાં તેની ઉત્પતિ, એના વિવિધ અંગોના દેવતાઓ સાથે તેનું સંગીત નૃત્યમાં સ્થાન, મહત્તાનો ઉલ્લેખ જોવા મળે છે, વિવિધ આંગળીનો જાુદા જાુદા સ્વરોની માહિતી સાથે આ ગ્રંથમાં સચોટ માહીતી આપી છે.

બે દોરી વચ્ચે ની કડી જેને કસીણકા કહેવાય છે તેને ખેંચીને ચડાવીને ઢોલને સુર મેળવાય છે. કડીને ગણી પુત્ર પણ કહે છે, સુતરની દોરી પરોવીને બાર છિદ્રોમાંથી પસાર કરીને શ્રેષ્ઠ ઢોલ બનાવાય છે. આ છિદ્રોના પણ નામ હોય છે, જેમાં પ્રત્યેક છીદ્ર કે ઘરને દેવતાના નામથી ઓળખાય છે. જેમ કે સરસ્વતિ, દુર્ગા વિગેરે

1512715805 02 Zagmag Title 12

ઢોલના પિતા શંકર અને માતા પાર્વતી – પત્ની ભાવશકિત સાથે ગૌત્ર અગ્નિ છે. સતયુગમાં ઇન્દ્ર રાજાને ઉમદા દાસ નામનો ઢોલી હતો. દ્વાયર યુગમાં માંધાતો રાજાને વામનદાસ નામે ઢોલી હતી. આવી જ રીતે પ્રેતા યુગ  અને કળિયુગમાં ઢોલી હતા. આજે આ બાબતે ઢોલના જાણકારો બહુ ઓછા છે. ખંભે ભરાવીને વગાડાતો ઢોલની દોરી સુરતની હોય છે. અસલ દેશી ઢોલ માટે બિયાનું લાકડું વપરાય છે.

ઢોલનું કોઇ નકકી કરેલ માપ હોતું નથી પણ તે દોઢ ફુટથી સાડા ત્રણ ફુટના જોવા મળે છે. મારવાડી કે આદિવાસીના ઢોલ ખુબ મોટા હોય છે. ઢોલ પરથી નાની ઢોલકી કે ઢોલક આવ્યા હતા. આજે તો સ્ટીલના ઢોલ આવી ગયા છે. નાનકડા ઢોલ છોકરાને શીખવામાં ઉપયોગ કરાય છે. ગુજરાતના ભાલ પંથકમાં ત્રાંબાના ઢોલ જોવા મળે છે. રાજા-રજવાડા તો શુભ પ્રસંગે આજુબાજુના ઢોલીને રમવા બોલાવે છે. દાંડીને પણ ચાંદીનું મોરૂ અને નાની ઘુઘરીયોથી શણગારે છે. આજે તો લગ્ન પ્રસંગે ઢોલના તાલે ઘોડીને નચાવે છે.

આપણાં તહેવારો હોળી, ગોકળ આઠમ, નવરાત્રી એ ઢોલમાં હિંચ વાગે એટલે નારીઓના હૈયા અને પગના ઝાંઝર બેય રૂમઝુમ થવા લાગે છે. કાઠિયાવાડમાં કચ્છ-સાબરકાંઠા, ભાલ વિસ્તારોની પ્રજા રાસની રમઝટ બોલાવે છે.

‘ઢોલી ડા ઢોલ રે વગાડ… મારે હિંચ લેવી છે.’

આવા અનેક ગીતોના તાલે ઢોલ આપણા લગ્નના તમામ રિવાજો જેવા કે ગણેશસ્થાપન મંડપારોપણ, ફૂલેકુ કે ‘પહ’ ભરાવતી વખતે ઢોલનો ધબકાર જોવા મળે છે. આપણા તમામ પ્રસંગોમાં ઢોલ અચુક હોય છે જેમાં જન્મ, જનોઇ, સીમંત, વાસ્તુ, રાંદલ વિગેરે આપણા ગુજરાતમાં વિવિધ ગામો શહેરો ઢોલી હોય છે. આદીકાળમાં તો ઢોલ વગાડવાના ગામોની સોંપણી પણ કરાઇ હતી.

“વાગ્યો રે ઢોલ વાગ્યો ઢોલ, હે મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ”

પપ૪ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ પાળિયામાં ધ્રબુકે છે!!

Hqdefault

તાજેતરમાં આવેલ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ માં જે સત્ય ઘટનાની વાત કરી છે તે કચ્છના વાગડ વિસ્તારના વ્રજવાણી ગામની સત્ય ઘટના આધારિત ફિલ્મ હતી. ૫૫૪ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાંથી ધ્રુબકે છે. ભગવાન કૃષ્ણના રૂપમાં આવેલ ઢોલી અને તેની સાથે સતી થનાર ૧૪૦ આહીરાણીઓનું સતીસ્મારક પણ વ્રજવાણીધામથી વિખ્યાત છે. આ ૧૪૦ સતીઓની યાદમાં કુવાઓ બંધાયા હતા જે પૈકી હાલ અમુક જ જીવંત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.