Abtak Media Google News

હાલ દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધીરહ્યું છે. તે ચિંતાજનક બાબત છે. કોરોનાના કેસો વધતા યાત્રીઓની સંખ્યામાં ઘટાડો થતા રેલવે વિભાગ દ્વારા વેરાવળ અમદાવાદ, વેરાવળ તથા જામનગર વડોદરા-જામનગર સ્પેશ્યલ ટ્રેનો હાલ પૂરતી રદ કરવામાં આવે છે. રાજકોટ રેલવે ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે જયાં સુધી નવી સુચના ન આવે ત્યાં સુધી ટ્રેનો રદ કરશે.

જેમાં ટ્રેન નંબર 09258 વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન 19 એપ્રીલ 2021 થી રદ, ટ્રેન સંખ્યા નં. 09257 અમદાવાદ-વેરાવળ સ્પેશ્યલ ટ્રેન જે.20 એપ્રીલ 2021થી રદ ટ્રેન સંખ્યા નંબર 02960 જામનગર-વડોદરા સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન જે 19 એપ્રીલ 2021 થી રદ તથા ટ્રેન નંબર 02959 વડોદરા-જામનગર સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 19 એપ્રીલ 2021 થીરદ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.