Abtak Media Google News

કાલે બેડી ગામ ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

રાજર્ષી વિભાણી જાડેજા પરિવારના સુખાર્થે અને લાભાર્થે સુરાપુરા બાપાની પ્રસન્નતા અર્થે રાજકોટ રાજવી પરિવાર તેમજ રાજકોટ જાડેજા ભાયાત પરિવાર ભાયાત પરિવાર અને હરધોળ જાડેજા પરિવાર દ્વારા શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન તા. 6-12 ને મંગળવારના દિવસે મોરબી હાઇવે, નકલંકની વીડી-ર, બેડી ગામ ખાતે યોજાનાર છે.

‘અબતક’ મિડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા રૂદ્રસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા વિગેરેએ વિશેષ વિગતો આપી હતી.

તા. 6-12 ને મંગળવારના રોજ સવારે દેહ શુઘ્ધિ, સર્વ દેવદેવીજી આહવાન, સર્વે વિર મહાપુરૂષ પુજન, કામધેનું પુજન, યજ્ઞ કુંડ પુજન તથા અગ્નિદેવ સ્થાપના નવગ્રહ શાંતિ, ફળાહાર તેમજ ભોજન સમારંભ પ્રધાન યજ્ઞ,  બીડુ હોમવાના કાર્યો સહિતના પ્રસંગો યોજાશે. વિષ્ણુયાગ યજ્ઞમાં આચાર્ય પદે ડોલરરાય વલ્લભરાય ત્રિવેદી બિરાજશે.આ પ્રસંગેમાં વિભાણી જાડેજા  પરિવારના ભાઇ-બહેનો ઉ5સ્થિત રહેશે. સર્વ જાડેજા પરિવારના સભ્યોએ ઉ5સ્થિત રહી ધર્મકાર્યનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.