Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી શૃંખલા માટે વાયબ્રન્ટ ગાંધીનગર પુરે પુરૂ સજજ થઈ ગયું છે.

1234

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯નું ૧૮મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી,રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા દેશ-વિદેશના ડેલીગેટ્સની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવશે ત્યારે મહાત્મા મંદિરને અદ્યતન રોશનીથી સજાવટ કરાઈ છે.

Gandhinagaer2

ઉપરાંત દાંડી કુટિર ખાતે પણ મીઠાના ઢગલા પર થ્રીડી પ્રોજેક્શન લેઝર શોનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાનશ્રી કરશે. તેને પણ અદ્યતન રોશનીથી શણગારવામાં આવ્યું છે. ઉપરાંત ગાંધીનગરના રાજમાર્ગો, વિધાનસભા ભવન સહિત સરકારી ઈમારતો, સર્કલો તથા અન્ય સ્થળોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે

Gandhinagar 4
Gandhingar 7

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.