Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»લોકોની આસ્થાની જીત : હવે ‘ર્માં’નો પ્રસાદ મોહનથાળ જ રહેશે
Gujarat News

લોકોની આસ્થાની જીત : હવે ‘ર્માં’નો પ્રસાદ મોહનથાળ જ રહેશે

By ABTAK MEDIA14/03/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

અંબાજીમાં અચાનક મોહનથાળના પ્રસાદની પરંપરા તોડી નાખવામાં આવતા છેલ્લા  ઘણા દિવસોથી લડત ચાલી રહી હતી, અંતે સરકારે બેઠક કરી મોહનથાળ-ચિકી બન્ને ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો

લોકોની આસ્થાની જીત થઇ છે. હવે માઁનો પ્રસાદ મોહનથાળ જ રહેશે.  અચાનક મોહનથાળના પ્રસાદની પરંપરા તોડી નાખવામાં આવતા છેલ્લા ઘણા સમયથી લડત ચાલી રહી હતી. જો કે અંતે સરકારે બેઠક કરી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.

અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ હવે ફરીથી શરૂ થશે. આ સમાચાર બાદ ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ છવાયો હતો. મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક કરવામાં આવી હતી. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદીમાં અપાતા મોહનથાળને બંધ કરાતા ભક્તોમાં ભારે રોષ છવાયો છે. જેના કારણે ગુજરાત સરકારે પણ દખલગીરી કરવાની ફરજ પડી છે.

મોહનથાળના પ્રસાદ બંધ થતાં આંદોલનો થયા, ઠેર-ઠેર આવેદનો અપાયા

અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ વધુ વકરતો જઈ રહ્યો હતો. મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં હતા. વિશ્વ હિંદુ પરિષદે પણ આંદોલનમાં ઝંપલાવ્યું હતું. ઉપરાંત ઠેર ઠેર આવેદનો પણ અપાયા હતા. બીજી તરફ ભક્તોના રોષને જોતાં આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી.

મોહનથાળનો મામલો વિધાનસભામાં પણ ગુંજયો, હાઇકોર્ટમાં જવાની પણ તૈયારી થઈ હતી

મોહનથાળ બંધ કરવા સામે  અનેક સંગઠનો આગળ આવ્યા હતા. પ્રસાદનો આ મામલો છેક વિધાનસભા સુધી પણ ગૂંજ્યો હતો. વિધાનસભામાં સત્ર દરમિયાન કોંગ્રસના ધારાસભ્યો મોહનથાળ સાથે પહોંચ્યા હતા. ત્યારે મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરાવવા દાંતા રાજવી પરિવાર પણ મેદાનમાં ઉતર્યો હતો. દાંતા સ્ટેટના રાજવી પરિવારના પરમવીરસિંહે જણાવ્યું હતુ કે, આ મામલે સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો તેઓ હાઇકોર્ટ પણ જવા તૈયાર છે અને અંબાજી મંદિર સુધી વિશાળ રેલીનું પણ પણ આયોજન કરવામાં આવશે.

વાત જ્યારે આસ્થાની હોય, ત્યારે પ્રસાદીની આયુષ્ય ન જોવાય

વાત જ્યારે આસ્થાની હોય ત્યારે પ્રસાદીની આયુષ્ય ન જોવાય તેવી લોકલાગણી ઉઠી હતી. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ નિવેદન કરતા કહ્યું કે, ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે. આ પહેલા તેમણે જણાવ્યું હતુ કે, ચિકીના પ્રસાદને લાંબા સમય સુધી રાખી શકવામાં આવે છે. દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યુ હતુ કે, માતાજીની પરંપરાગત પ્રસાદી ચાલતી હતી તેને અચાનક બંધ કરવામાં આવી છે અને ચીકીની જે પ્રસાદી શરુ કરી છે તે યોગ્ય નથી. મારું તે વિસ્તારના ધારાસભ્ય તરીકે માનવું છે વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ.

ambaji featured gujarat Mohanthal Prasad SaurashtraNews
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઅદાણી પરિવારના ઘરે રૂડો અવસર..વહુ દીવા અને જીતની સગાઈની તસ્વીરો આવી સામે
Next Article છાત્રોને કુમકુમ તિલક કરી પુષ્પવર્ષા સાથે અધિકારી-પદાધિકારીઓએ આપી શુભેચ્છા
ABTAK MEDIA
  • Website

Related Posts

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

26/09/2023

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા પછી જ શિવમ કોમ્પ્લેક્સના સીલ ખૂલશે

26/09/2023

રાજકોટમાં આ સાત સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

27/09/2023

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

26/09/2023

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

26/09/2023

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા પછી જ શિવમ કોમ્પ્લેક્સના સીલ ખૂલશે

26/09/2023

રાજકોટમાં આ સાત સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.