Abtak Media Google News

 

દસાડા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોતમભાઈ પરમારે ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે ઉદાસી આશ્રમ પાટડીના ગાદીપતિ પૂ.ભાવેશ બાપુના આર્શીવાદ લઈ તેમના શ્રી ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને પોતે નોંધાવેલ ઉમેદવારીમાં સફળતા પ્રાપ્ત કરે તેવા શુભાષિશ પાઠવવા અનુરોધ કર્યો હતો. ઉદાસી આશ્રમ પાટડીના ગાદીપતિ પૂ.ભાવેશ બાપુએ દસાડા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોતમભાઈ પરમારને ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરવાના આર્શીવાદ પાઠવી વિજય તિલક કર્યું હતું..પુ.ભવેશબાપુના શુભાષિશથી પરસોતમભાઈ પરમારએ ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરી હતી અને ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આ પ્રસંગે પ્રવિણભાઈ સોની સહિતના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.