Abtak Media Google News

આતંકવાદનો સફાયો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન: સુત્રોચ્ચાર

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રીકોને લઈ જતી બસ ઉપર આતંકવાદીઓએ સાત યાત્રાળુઓના મોત નિપજાવ્યાની દુ:ખદ ઘટના સામે રાજકોટમાં ઠેર ઠેર લોકરોષ ઉઠ્યો છે. આજરોજ ત્રીકોણબાગ ખાતે બજરંગદળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આ ઘટનાના વિરોધમાં આતંકનું પુતળાદહન અને સૂત્રોચ્ચાર કરાયા હતા. આ ઘટના સંદર્ભે બજરંગ દળના પ્રમુખ હરેશભાઈ ચૌહાણે ‘અબતક’ને કહ્યું હતુ કે, આતંકવાદનો સફાયો કરવો જોઈએ આતંકી હુમલા છતા યાત્રા કોઈ પણ સંજોગોમાંક રોકવામાં નહી આવે. રાબેતા મુજબ ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.