- રાજકોટની લુટેરી દુલ્હન અને લગ્ન કરાવનાર મેંરેજ બ્યુરો સંચાલિકા અને રાજકોટના વચેટીયા સહિત 6 સામે છેતરપિંડીની ફરિયાદ
- જામનગરનો એક વિપ્ર યુવાન રાજકોટની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે, અને રૂપિયા 1 લાખ 80 હજારગુમાવ્યા છે.
લુટેરી દુલ્હન બે દિવસના રોકાણ બાદ પોતે પરણિત છે, અને અહીં રોકાવું નથી, નહીંતર આપઘાત કરી લઈશ તેવો ડર બતાવી રાજકોટ પરત ચાલી ગઈ હતી. આથી લૂંટેરી દુલ્હન અને લગ્ન કરાવનાર જામનગરના મેરેજ બ્યુરો સંચાલીકા મહિલા તેમજ રાજકોટના વચેટિયાઓ સહિત કુલ છ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 માં રહેતા અને દવાની કંપનીમાં એમ આર તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ ગુણવંતરાય ખેતિયા નામના 46 વર્ષના વિપ્ર યુવાને પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી કરી રૂપિયા 1 લાખ 80 હજાર પડાવી લેવા અંગે રાજકોટની લૂંટેલી દુલ્હન નૂરી તેમજ જામનગરના મેરેજ બ્યુરો સંચાલક મહિલા નીતાબેન ખેતિયા, ઉપરાંત રાજકોટના વચેટિયા મુકેશભાઈ મકવાણા, સબીરભાઈ નાગોરી, અને લૂંટેરી દુલ્હનના ભાઈ અને ભાભી સહિત 6 સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
બીજા લગ્ન કરવા માટે જામનગરમાં મધુરમ રેસીડેન્સીમાં રહેતા મીતાબેન ખેતિયા નો સંપર્ક કર્યો હતો, અને રાજકોટની નુરી નામની યુવતી કે જે પોતે પંજાબી છે તેવી ઓળખાણ આપીને તેની સાથે રૂપિયા 1 લાખ 80 હજાર માં સોદો કરીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
ગત 25.5.2025 ના સાંજે તમામ લોકો રાજકોટ થી જામનગર આવ્યા હતા, અને જીગ્નેશભાઈ સાથે નુંરી ના રજીસ્ટર મેરેજ કરાવી આપ્યા હતા, ઉપરાંત મંદિરમાં પણ લગ્ન વિધિ સંપન્ન કરી હતી, અને 1.80 લાખ ના ભાગ પાડી લીધા હતા. જીગ્નેશભાઈ એ પોતાને લગ્ન કરાવી દેનાર મીતાબેન ઉપરાંત રાજકોટના મુકેશ મકવાણા અને સબીરભાઈ નાગોરી વગેરેનો સંપર્ક કર્યો હતો. જેમાં નુરીએ અને તેના ભાઈ ભાભી સહિતના લોકોએ રૂપિયા પરત આપવાનો ઇનકાર કરી દેતા, રૂપિયા આપવા માટે ના નાટકો ચાલ્યા હતા. દરમિયાન જીગ્નેશભાઈ ને 1 લાખ નો એક ચેક અપાયો હતો, અને પોતે જામનગર આવી ગયા હતા.
આખરે ગઈકાલે જીગ્નેશભાઈ પોતાની સાથે છેતરપિંડી થી લગ્ન કરવા અંગે રાજકોટની લૂંટેરી દુલ્હન નૂરી તથા જામનગર ના મિતાબેન ખેતીયા વગેરે સહિત છ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પી એસ આઈ જે પી સોઢા અને રાઈટર રાણાભાઇ આંબલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે અને તપાસનો દૂર રાજકોટ સુધી લંબાવ્યો છે.