Abtak Media Google News

ડિસ્ટ્રીકટ જજે સૂચના આપવા છતાં હુકમનો ઉલાળીયો કરતા અધિકારીઓ

વિસાવદરમા કલેકટર જુનાગઢના હુકમથી વિસાવદર કોર્ટને પાર્કિંગ માટે જૂનું પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરીના જર્જરિત જુના ક્વાર્ટર પાડીને આપવા હુકમ કરેલ છે અને આ હુકમ તા.15/07/2013 ના રોજ કલેક્ટર સાહેબે કરેલ છે અને વિસાવદર કોર્ટને પાર્કિંગ માટે જગ્યા ફાળવેલ અને તેના હુકમ મુજબ પ્રાંત અધિકારી સાથે સંકલનમાં રહીને જુના પોલીસ સ્ટેશન વાળી જગ્યા તથા મામલતદાર કચેરીના જુના સ્ટાફ વાળી જગ્યા આપવા હુકમ કર્યાના 9 (નવ)વર્ષ બાદ પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ કરાતા અને કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ જર્જરિત પોલીસ સ્ટેશનનું બાંધકામ હટાવવા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આ જર્જરિત બાંધકામ નવ વર્ષ થવા છતાં પણ દૂર કરવામાં આવેલ નથી અને મામલતદાર દ્વારા જેલના ત્રણ રૂમ તથા જુના ક્વાર્ટર પાડવા સંમતિ આપતા તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા જુનું અને જર્જરિત પોલીસ સ્ટેશન પાડવા માટે કોઈ સંમતિ અપાયેલ નથી અને તે બાંધકામ તોડવાનું નથી તેવી વાત લોકોમાં વહેતી થતા વિસાવદરની પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

બે બે તાલુકાની પ્રજા જ્યાં એકઠી થતી હોય ત્યાં ભયજનક હાલતમાં આવેલ બાંધકામ દૂર કરવામાં આવતું ન હોય અને લોકો ભયના ઓથાર નીચે જીવી રહિયા હોય એમ  છતાંપણ કોઈ કાર્યવાહી નહિ કરાતા કે જગ્યા ખુલ્લી કરી કોર્ટને કબજો આજદિન સુધી સોપવામાં આવેલ ન હોય અને પાર્કિગ પણ બનાવી આપવામાં આવેલ ન હોય સરકારી અધિકારી અને જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમની અમલવારી નહિ કરવા બદલ ફોજદારી કાયદામાં ગુનો દાખલ થઈ શકે તેમ હોવા છતાં આર.એન્ડ બી ના અધિકારીઓને કોઈ હુકમ ન હોય કે તેઓએ કોઈ હુકમનું પાલન કરવાનું રહેતું ન હોય તે રીતે અમલવારી નહિ કરતા જવાબદારોને કાયદાનું પાલન કરવા કલેકટર, પ્રાંતઅધિકારી, તથા આર.એન્ડ બી ના અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવા તથા વિસાવદર કોર્ટને કલેકટર જુનાગઢના હુકમ મુજબની જગ્યાની ફાળવણી કરી પાર્કિંગ માટેના શેડ ઉભા કરી આપવા  માટે નવ વર્ષ પહેલાં હુકમ કરી જગ્યા ફાળવવા આદેશ કરેલો હતો અને ત્યારબાદ જિલ્લાના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પણ આદેશ કરેલો હતો એમ છતાં પણ નવનવ વર્ષે જેવો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા હવે ક્ધટેમ ઓફ કોર્ટની કાર્યવાહી થશે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે .ત્યારે વિસાવદર વકીલ મંડળ દ્વારા પ્રમુખ કમલેશભાઈ જોશીની દ્વારા જુનાગઢ જિલ્લાના ડિસ્ટ્રીકટ જજ તથા વિસાવદર સિવિલ જજ ને પાંચ દિવસમાં નિર્ણય લેવા માટે રજુઆત કરી પાંચ દિવસમાં કોઈ પગલાં નહિ ભરાઈ તો અચોક્સ મુદતની હડતાળ પાડી ઉગ્ર આંદોલનની ચીમકી આપી નામદાર ગુજરાત હાઇકોર્ટેમાં ક્ધટેમ ઓફ કોર્ટનું પ્રોસીડિંગ કરવા તથા ફોજદારી ફરિયાદ દાખલ કરવા ઠરાવ કરેલ હોવાનું બાર એસોસિએશન વિસાવદરના પ્રમુખ કમલેશભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.