Abtak Media Google News

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યા સામે દર્દીઓની સારવાર માટે ઓકસીજનયુકત બેડની સંખ્યા વધારવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્રએ યુધ્ધના ધોરણે ચાલું રાખી છે. રાજકોટની સમરસ હોસ્ટેલના બ્લોકની માળખાગત વ્યવસ્થાઓનો ઉપયોગ કરી તમામ બીલ્ડીંગોમાં ઓકસીજન પહોચાડવાની પડકારજનક કામગીરી તંત્રની રાત દિવસની મહેનતના અંતે પૂર્ણ થવામાં છે.  સમરસમાં બે ચાર દિવસોમાં 1000 ઓકસીજન વાળા બેડ તૈયાર થશે. હાલ 582 બેડનું સેટઅપ તૈયાર થયું છે .હાલ 482 દર્દીઓ સારવાર હેઠળ છે. નવા દર્દીને તાત્કાલીક સારવાર મળી જાય છે. રાજકોટના લોકોએ ગભરાવવાની જરૂર નથી. દર્દીઓ માટે મેડીકલ સુવીધા વધારવા વરીષ્ઠ અધિકારીઓની ટીમ સરકારના સંપર્ક રહીને કામકરી રહી છે.

 

હાલ 582 ઓકિસજન બેડનું સેપએપ કાર્યરત, દર્દીઓ માટે શુધ્ધ અને સાત્વિક ભોજન-નાસ્તાની સેન્ટ્રલી વ્યવસ્થા: ડે.કલેકટર ચરણસિંહ ગોહિલ 

Samaras 3

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ અને સમરસમાં નોડલ અધિક કલેકટર મેહુલ દવેની દેખરેખ હેઠળ  થઇ રહેલી કામગીરીની વિગતો આપતાડે. કલકેટર ચરણસિંહ ગોહિલે  જણાવ્યું હતું કે સમરસમાં 1000ઓકસીજનયુકત  બેડ કોરોનાના દર્દીઓમાટે તૈયાર થઇ રહી છે.  રોજ 100 બેડ તૈયાર થાય એ રીતે સમરસમાં  રાત દિન કામગીરી  ચાલી રહી છે. 582 બેડનું સેટઅપ તૈયાર થઇ ગયુ છે. 480 દર્દીઓ સારવાર મેળવી રહયા છે. દર્દીઓની સંખ્યા વધી છે. છતા વ્યવસ્થામાં કોઇ કમી નથી .તમામ દાખલ થતા દર્દીઓને વેલકમ કિટ  આપવામાં આવે છે. દર્દીઓને શુધ્ધ અને સાત્વીક ભોજન અને નાસ્તોદિવસમાં4 વખત આપવામાં આવે છે. સમરસમાં આ માટે સેન્ટ્રલી રસોડું પુરી સ્વછતા સાથે બનાવવામાં આવ્યું છે. દર્દીઓની  સારવાર માટે દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં  ઉપલ્બ્ધ છે. રેમડેસિવીર ઇનજેકશન પણ  પુરતા પ્રમાણમાં ઉપલ્બ્ધ છે. દર્દીના સગાઓને દર્દી વિશેની માહિતી મળી જાય  તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ કામગીરીમાં ડે.કલેકટર ગોહિલ ઉપરાંત ડે.કલેકટર દેશાઇ અને મામલતદાર કથીરીયા સહિતના અધિકારીઓ સેવા આપી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.