Abtak Media Google News

રેલનગરનો બનાવ કેબલ સંચાલક સહિત બે શખ્સો સામે ગુનો નોંધી ઝહપી પાડતી પ્ર.નગર પોલીસ

શહેરમાં શનિવાર રાતના સમયે રેલનગર વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલકને ‘તું શુ કામ અમારી વાતો કરે છે’ તેવું કહીને કેબલ સંચાલક સહિત બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીરઈજા પહોચતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ બજરંગવાડીમાં રહેતા અને રેલનગર રેસ્ટોરન્ટ ચલાવતો કૌશિકભાઈ અમરશીભાઈ ચૌહાણ ગત રાત્રીના સમયે તેની દુકાન પાસે તેના મિત્રો સાથે બેઠા હતા તે વેળાએ તું અમારી શું વાતો કરે છે તેવું કહી ઋતુરાજ જાડેજા અને મનીષ જાની નામના શખ્સોએ છરી વડે હુમલો કરી ત્યાંથી નાસી ગયા હતા અને યુવાનને ગંભીર ઈજા પહોચતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામં આવ્યા છે. અને પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અને તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.