Abtak Media Google News

પાસના નિલેશ એરવાડિયાના ઘેર બેસાડેલા ગણપતિ વિસર્જન માટે આજે પાટીદારોની મિટિંગ

આગામી દિવસોમાં હાર્દિક પટેલ મોરબી આવશે,પાસ અગ્રણી નિલેશ એરવાડિયાના ઘરે બેસાડેલા ગણપતિ હાર્દિક પટેલ જેલમાંથી છૂટે બાદ જ વિસર્જન કરવાનું નક્કી કરતા હવે હાર્દિક ગણેશ વિસર્જન માટે મોરબી આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ હાર્દિકને સરકારે જેલમાં ધકેલી દેતા પાસના નિલેશ એરવાડિયાએ જ્યાં સુધી હાર્દિક જેલ મુક્ત ન થાય ત્યાં સુધી ગણપતિનું વિસર્જન નહિ કરે તેવી માનતા રાખી હતી.

હોવી જ્યારે પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ જેલ મુક્ત થતા  ગણેશ વિસર્જન યાત્રા ના આયોજન માટે આજે રાત્રે ૯ વાગ્યે નિલેશ એરવાડિયાના ઘેર વૃંદાવન પેલેસ,અવની ચોકડી ખાતે મિટીગનુ આયોજન કરેલ છે જેમા તમામ પાટીદાર ભાઈને પઘારવા વિનંતિ કરવામાં આવી છે. વધુ વિગતો માટે મોબાઈલ નંબર ૯૦૩૩૬ ૬૩૩૦૦, ૯૮૨૫૫ ૨૩૪૯૦, ૯૯૨૫૫ ૬૫૫૩૬,૯૯૭૪૧ ૮૫૫૩૬ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.