Abtak Media Google News

કુદરત સર્જીત વાવાઝોડાના વાયુ, કયાર, મહા, બુલબુલ, ઓખી, હુદહુદ, કૈટરીના અને વરદા જેવા અલગ અલગ નામો સાંભળ્યા હશે: જાણો દરિયામાં આવતા વિવિધ તોફાનોના નામકરણ વિશેની રોચક વાતો.પૃથ્વી ઉપર આવતી આફતો માનવ સર્જીત અથવા કુદરત સર્જીત હોય છે. ગ્લોબલ વોમિંગને કારણે તથા પર્યાવરણના નુકશાનથી આપણે જ  આપણાં પગ પર કુહાડો માર્યો છે. ધરતીના પેટાળમાંથી ખનીજ તત્વોનો બેસુમાર ઉપાડે પણ વિનાશ નોતર્યો છે. હવાના પ્રદુષણો ઘણા પશુ, પંખીની પ્રજાતિ લુપ્ત કરી નાખી છે. પર્યાવરણના રક્ષણ માટે આપણે અને પૃથ્વીવાસીઓએ તમામે જાગવાની જરૂર છે, યુઘ્ધના ધોરણે કામ કરીને સૌના સહિયારા પ્રયાસોથી આવનારી પેઢીને એક સ્વચ્છ અને નિર્મળ પૃથ્વી આપવાની છે.

ડિઝાસ્ટર આફતએ પછી પુર-હોનારત કે ધરતીકંપ કે પવર્તમાન વાવાઝોડુ હોય એમાં લોકોની ઘણી સાવચેતીથી મોટી જાનહાની બચાવી શકાય છે. આવા સમયે લોકોએ અફવાથી દૂર રહીને આધારભૂત સમાચારો પર ઘ્યાન આપવું જરુરી છે. તંત્ર દ્વારા વિવિધ ચેતવણીના પગલા અને દરિયા કાંઠાના ચેતવણીરૂપ સિગ્નલ સાથે ભયજનક બાબતે કાળજી લેવી જરુરીછે. હવાની સામાન્ય ઝડપ કરતાં વધે અને તે 1ર0 થી 150 વચ્ચે વાવાઝોડુ બને ત્યારે તારાજી સર્જી શકે છે. અત્યાર સુધીમાં આપણે ઘણાં વાવઝોડાનો મકકમ બનીને સામનો કર્યો છે. જેમાં વાયુ, કયાર, મહા-બુલબુલ, ઓખી હુદહુદ કેટરીના અને વરદા જેવા છેલ્લા આવેલા વાવાઝોડાના નામો છે.

દરિયામાં આવતા વિવિધ તોફાનો, વાવાઝોડાના નામો કોણ આપતું હશે? તેના ફોઇબા કોણ છે? આવા પ્રશ્ર્નો આપણને બધાને થાય છે ત્યારે આજે આ બાબતે રોચક માહીતી આ લેખમાં આપવી છે. ખરેખર તો ચક્રવાતના નામ એક સમજુતી કરાર હેઠળ રાખવામાં આવે છે. આ પ્રથાની શરુઆત 1953માં એક સંધિ દ્વારા એટલાન્ટિક ક્ષેત્રમાં થઇ હતી. આ પહેલા વાવાઝોડાના કોઇ નામ અપાતા ન હતા. મિયામીમાં રાષ્ટ્રીય વાવાઝોડા કેન્દ્રની પ્રથમ સ્થાપના કરાઇ હતી.

વિશ્ર્વમાં વાવાઝોડાના ચિત્ર વિચિત્ર નામો આપણે સાંભળ્યા હશે. અમેરિકામાં ઓડ-ઇવન પ્રથા છે તો ઓસ્ટ્રેલીયામાં ભ્રષ્ટ નેતાઓ પરથી વાવાઝોડાને નામ અપાય છે. દરેક વખતે દેશનો નામ પાડવાનો ક્રમિક ચાન્સ આવે છે. અમેરિકામાં સ્ત્રીઓના નામથી વાવાઝોડાના નામ પડાય છે. જેમ કે કૈટરીના ઇરમા વિગેરે પણ આ દેશમાં 1979 પછી એક વાર પુરૂષનું નામ અને એકવાર સ્ત્રીનું નામ એમ ઓડ ઇવન પ્રથા અમલમાં આવી હતી. દર વર્ષે ર1ના નામની યાદી તૈયાર થાય અને તે પૈકી એક નામ પસંદ કરાય છે. કયુ-યુ.એકસ-વાય અને ઝેડ અક્ષરો પર તોફાનોના નામ રાખવાની પરંપરા નથી. દેશમાં ર1 થી વધુ ચક્રવાતમાં આલ્ફા બીટા અને ગામા આધારીત નામ રાખે છે.

વિચિત્ર વાત તો એ છે કે વાવાઝોડાનીવધુ ગતિ હોય તો તેને વિશેષ નામ અપાય છે. ભારતીય સમુદ્રમાં વાવાઝોડાના નામ મુળાક્ષર ક્રમમાં ફાળવાતા નથી, પરંતુ તે દેશના નામ પરથી રખાય છે જેણે તેને નામ આપ્યું હોય જો વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 34 નોટીકલ માઇલ કરતાં વધી જાય તો તેને વિશેષ નામ અપાય છે. નામ આપવાની પ્રથામાં ભારતની પહેલ બાદ વાવાઝોડાના નામની સિસ્ટમ શરુ થઇ હતી.

1560410642 9554

હિન્દી મહાસાગરના ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદિવ, મ્યાનમાર, ઓમાન અને થાઇલેન્ડ જેવા આઠ દેશોએ ર004 માં નામ આપવાની શરુઆત કરી, વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન અને એશિયા, પેસિફિક માટે નેશન્સ ઇકોમોમિક અને સોશિયલ કમિશને વર્ષ ર000માં ચક્રવાતના નામ આપવાનું શરુ કરેલ હતું. ઉત્તર હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાના નામ ભારત મોસમ વિભાગ કરે છે. જે મુજબ ભારતે અગ્નિ, વીજળી, મેઘ, સાગર, આકાશ જેવા નામો આપ્યા હતા જયારે પાકિસ્તાને નિલોફર, બુલબુલ, તિતલી જેવા નામો ભૂતકાળમાં આપ્યા હતા. 2004માં આવેલ ચાર વાવાઝોડા આવેલા જેના નામો અગ્નિ, હિબારુ, પ્યાર ઐા બાઝ અને 2005માં પણ ત્રણ વાવાઝોડા આવ્યા હતા જેના નામો પારણું, માલા અને મુકડા રાખેલ હતું. 2015માં ચાર, 2016માં ત્રણ અને 2017માં એક જેનું નામ ‘ઓખી’ બાંગ્લાદેશે પાડેલ હતું. બાદમાં ‘સાગર’ વાવાઝોડાનું નામ તથા 2018-19, 20, 21 માં આવેલ કે આવતાં તમામ વાવાઝોડાના નામ નકકી થઇ ગયા છે, જેમાં તમામ 8 દેશોની સંમંતિ હોય છે.

દર વર્ષે વિશ્ર્વમાં 100 જેટલા વાવાઝોડા આવે છે કેટલાકની તીવ્રતા વધારે તો કેટલાકની ઓછી હોય છે. ગુજરાત પર આવેલ ‘મહા’ નામનું વાવાઝોડાનું નામ ઓમાન દેશે આપ્યું હતુ. આગાહી ચેતવણી હવામાન વિભાગ સામાન્ય જનતાને જાણકારી આપવા જેમ કે કયાંથી આવે છે. કયાં આગળ વધી રહ્યું છ, સુરક્ષિત સ્થળે કંઇ દિશામાં જવું જેની માહીતી માટે નામ આપવામાં આવે છે. એકવાર નામ અપાય ગયા બાદ તે જ નામનો ફરી ઉપયોગ કરાતો નથી. માંગખૂડ (ફિલિપિન્સ-2018), ઇરમા (કેરેબીયન-2017), હૈયાન (ફિલિપિન્સ-2013), એન્ડી (યુ.એસ.એ. 2012), મિચ (1998) અને ટ્રેસી (1974) આવા નામો હતા જે ફરી કયારેય નહીં પડે,

વાવાઝોડાને નામ આપવાની ચૌકકસ પઘ્ધતિ હોય છે. ઉષ્ણકટિબંધિય વાવાઝોડાની વર્ષે અને બે વર્ષે બેઠક મળે જેમાં તેના નામો નકકી કરાય છે. જેમાં હાલ પાંચ સમિતિ કાર્યરત છે. જેમ કે ટાયફૂન કમિટિ, ટ્રોપીકલ સાયકલોન કમિટી, ટ્રોપીકલ હરિકેન કમીટી વિગેરે છે. વાવાઝોડાના નામની યાદી 8 દેશો તૈયાર કરે છે. વાવાઝોડાના મઘ્યભાગને કેન્દ્રને ‘આંખ’ કહે છે જેનો ઘેરાવો 30 કી.મી. નો હોય છે જેની ચારે તરફ વાદળો ઘૂમતા રહે છે. જયાં જયાં ચક્રવાતી તોફાનની આંખ હોય ત્યાં ખુબ ઝડપથી પવન ફુંકાય છે.

હાલ કેન્દ્ર પાસે 8 દેશમાં કુલ 64 વાવાઝોડાના નામની યાદી તૈયાર

Cyclone Name List Main

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામની યાદી 8 દેશો તૈયાર કરે જેમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મયાંમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો જ પોતાના નામની યાદી નવી દિલ્હીમાં આવેલી રિજિયોનલ સ્પેશિયલાઇઝડ મેટ્રોલોજીકલ સેન્ટરને મોકલે છે. અત્યારે આ કેન્દ્ર પાસે 8 દેશના કુલ 64 નામની યાદી તૈયાર છે જે હવે પછી વાવાઝોડા આવશે એના નામ પડશે.

તૌકતે નામ કોણે આપ્યું?

હાલના વાવાઝોડા તૌકતે-તાઉતે – ટૌટે ટોકટે અને તાઉ-તે જેવા વિવિધ ઉચ્ચારણ ગુજરાતીમાં કરાય રહ્યા છે. તે નામ મ્યાંમાર દેશે સુચવેલ છે. ઝઅઞઊંઝઅઊ આ નામ તેનું ઓરીજીનલ છે. આપણે તેને અલગ ઉચ્ચારણ કરીએ છીએ, નવેમ્બર-2020માં નિવાર વાવાઝોડુ

બંગાળની ખાડીમાં આવેલું. આ અગાઉ આજ વષમાં મે મહિનામાં ‘અમ્ફન’ વાવાઝોડું આવેલું, આનું નામ ઇરાને સુચવ્યું હતું. જેનો અથૃ થાય ‘રોકવું’ રર નવે 2020માં સોમાલિયામાં આવેલ વાવાઝોડાને ‘ગતિ’ નામ આપણા દેશ ભારતે આપેલ હતું. જેનો અર્થ થાય છે. ઝડપ 2018 બાદ અગાઉની કમીટી ના 8 દેશોમાં ઇરાન, કતાર, સઉદી અબર, સઁયુકત આરબ અમિરાત અને યમન દેશ પણ આ કમીટીમાં જોડાય ગયા હતા. આ દેશોની વર્ણમાલા પ્રમાણે બનાવેલ યાદીમાં બાંગ્લાદેશ પ્રથમ ક્રમે આવે છે બાદમાં ભારત, ઇરાન, માલદીવ, ઓમાન અને પાકિસ્તાનનું નામ આવે છે. દરેક દેશનો નામ પાડવા માટે ક્રમિક વારો આવે છે. નામથી લોકોને ચેતવવા સરળ બનતું હોવાથી નામ પડાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.