Abtak Media Google News

પ્રાથમિક શાળાના છાત્રો કકકો-બારાક્ષરી વાંચી શકતા નથી: કોરોનાકાળમાં બાળકો ઘરમાં વધુ રહેતા સ્માર્ટ ફોનમાં ‘સ્માર્ટ’ થયા પણ શિક્ષણમાં ‘ઢ’ થઈ ગયા

મોટા ધોરણના છાત્રો પણ ગુજરાતી કડકડાટ વાંચી શકતા નથી અને 1 થી 100ની સંખ્યા  ઓળખી શકતા નથી: આજે દરેક વર્ગમાં 10 ટકાથી વધુ છાત્રો ગણન પ્રક્રિયામાં નબળા જોવા મળે છે

વાંચન ગણન અને લેખનમાં અપરિપક્વતા અને ઢ પણાની સમસ્યા માત્ર શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત નથી બાળ વિદ્યાર્થીઓ જ નહીં પણ આપણે સૌ મોટેરા પણ જીવનના ભણતરમાં ઢસાબિત થાય તેવી પરિસ્થિતિ છે કુદરતે મનુષ્યને શક્તિશાળી મગજનું ઉપહાર આપ્યું છે તેનો ઉપયોગ કરવાનું ભૂલી ગયા છીએ અત્યારે વિદ્યાર્થીઓ માટે વાંચન અને લેખનની જેમ સમાજના દરેક વ્યક્તિઓ માટે જીવનના મૂલ્યો નું અવલોકન સતત નવું શીખતું રહેવા નું કર્તવ્ય વિસરાઈ ગયું છે મગજની અપરંપાર શક્તિ નો તાગ જ આપણે મેળવી શક્યા નથી અને વાંચન ગણન અને લેખનથી દૂર થતા જઈએ છીએ ભણવામાં હોશિયારી અને બધું શીખવાની જવાબદારી માત્ર વિદ્યાર્થીઓની જ નથી વાંચન ગણન લેખનમાં ઢ માટે સમાજમાં કોણ જવાબદાર છે તેમાં વિદ્યાર્થીઓ સાથે મોટેરા પણ આવી જાય કુદરતે આપેલી વિરાટ શક્તિ જેવી મગજ શક્તિનો અત્યારે ઉપયોગ કરવાનો વિસરાઈ ગયું છે જો સતત શીખતું રહેવાની અધ્યયન અને મનન કરવાની ચીવટ આપણે ભૂલી જઈશું તો વાંચન ગણન લેખનમાં સમાજ આખો ઢથઈ જશે…

છેલ્લા બે ત્રણ દિવસ  અખબારો-ટીવીમાં વાંચનમાં નબળા બાળકોની  ચર્ચા ચાલી રહી છે. વાંચન-ગણન-લેખન જેવા શિક્ષણનાં પાયાના ત્રણ સ્ટેપમાં  નબળા છાત્રોનો વિકાસ રૂંધાઈ જાય છે.  વર્ષોથી  આ સમસ્યા   શિક્ષણને નડી રહી છે. ખાનગી કે  સરકારી  આવા નબળા બાળકોની સમસ્યા એક સરખી જ  જોવામળે છે. આજે તોબાળક જોઈને પણ સાચુ લખક્ષ શકતા નથી આરોહ-અવરોહથી નિયમિત  વાંચન સાથે ભાષા અને ગણિત જેવા  વિષયોપર  પ્રારંભથી  જ ભાર મૂકવાની જરૂર છે.

આજે શાળામાં ધો.5 થી 8ના મોટા છાત્રો પણ કડકડાટ  વાંચી શકતા નથી. ઘણી હાઈસ્કુલમાં અભ્યાસ કરતા  ધો.9ના  છાત્રો સરખુ  વાંચી શકતા નથી. પ.ય,ટ,ડ,ઢ,ઠ, ધ,ઘ, જેવા અક્ષરને ઓળખી શકતા નથી. લેખનની વાત આવે ત્યારે  આવા શબ્દો ખોટા લખે છે. આપણા ગુજરાતમાં  સરકારી હોય કે ખાનગી શાળાના છાત્રોમાં વાંચન ાુધ્ધીનો અભાવ  જોવા મળે છે અંગ્રેજી માધ્યમની શાળાના બાળકોને ગુજરાતી વાંચતા જ નથી આવડતું. ગુજરાતીમાં મોબાઈલ નંબર બોલો તો ના લખી શકે તેને તો આંકડા અંગ્રેજીમાં બોલવા પડે છે.  આપણાગુજરાતમાં  રહેતા છાત્રોને ગુજરાતી બોલતા કેલખતા ન આવડે તે કેમ ચલાવી લેવાય.

બાળ સંર્વાગી વિકાસની બુનિયામાં વાંચન ગણન અને લેખન જેવા  ત્રણ સ્ટેપ   પાયામાં સમાયેલા છે.આજ દિવસ  સુધી આપણા છાત્રો એમાંજ કાચા હોવાથી તેમનોઓવરઓલ શિક્ષણ વિકાસ  અટકી  જાય છે.આજે તમે પણ જોયુ હશે કે ધો.6 થી  8 કે ધો.9 -10નો છાત્ર બરોબર વાંચી નથી શકતો, જોડયા શબ્દો   શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલી શકતો નથી. નવી શિક્ષણ નીતિમાં પ્રથમ પાંચ વર્ષમાં  આ ઉપર વિશેષ કામગીરી થયા બાદ બીજા સ્ટેપમાં 3 વર્ષનો અભ્યાસ ક્રમ  આવે છે.  એટલે શરૂના 10 વર્ષ આ  બાબતે તેની વિશેેષ દરકાર કરાશે.

સરકારનાં શિક્ષણવિભાગ દ્વારા વાંચન-ગણન અને લેખન બાબતોના ઉપચારત્મક શિક્ષણ વર્ગો પણ કર્યા આ ત્રણેયમાં નબળા બાળકોને  શાળા છૂટયા બાદ પણ ભણાવ્યા પણ  રીઝલ્ટ મળેલ નથી. સરકારી શાળાઓમાં આ  સ મસ્યા વિશેષ જોવા મળેછે. સાદા શબ્દો-કાનાવાળા શબ્દો જોડયા શબ્દો સાથે  વાકયો ફકરો લખવાનો બોલવાનો મહાવરો સતત છાત્રોને મળે તાજ બાળકો આ કૌશલ્ય હસ્તગત   કરી શકે છે.ધો.1-2માં પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અર્થાત પ્રજ્ઞા અભિગમમાં તેની ક્ષમતા સિધ્ધ થયા બાદ જ આગળનાં સ્ટેપે   જવાદેવામાં આવે છે. બે વર્ષની   આ પ્રક્રિયાબાદ ધો.3-4 સતત આજ દ્દઢિકરણને કારણે તેનો વિકાસ કરાય છે.

પાયાના શિક્ષણ કે પ્રાથમિક  શિક્ષણમાં  જો બાળકને વાંચતા લખતા જ આવડે તાતમો તેને પ્રશ્ર્નોના   જવાબ લખતા કેમ નથી કરી શકો આ સમસ્યા શિક્ષક ને સતત મુંઝવે છે. ભાષા સાથે ગણિતની  અગત્યતા છે.પ્રારંભે  સંખ્યા જ્ઞાન મેળવ્યા બાદ સરવાળા-બાદબાકી-ગુણાકાર અને ભાગાકાર શિખવી શકો છો. 1 થી 100 જ ન ઓળખનારો બાળક ગણન પ્રક્રિયા કેમ કરી શકે. અંકતોરણ-પ્લેકાર્ડ જેવા ઘણાં શૈક્ષણીક રમકડાના માધ્યમથી તમો  બાળકોને ઝડપથી   શિખવી શકો છો હરતા ફરતાં પણ બાળક ગણીત શિખી શકે છે.

જી.સી.ઈ.આર.ટી. દ્વારા વાંચન ગણન-લેખનના માપદંડ  નકકી કરાયા છે.જેમાં મોટા ફકરાનું  વાંચન, આરોહ અવરોહ સાથેનું વાંચન,  અર્થગ્રહણ ફકરાનું વાંચન,  જોડાક્ષર વાળા ફકરાનું   શ્રુતલેખન સાથે ફકરામાં  વિરામ ચિન્હોનો ઉપયોગ સાથે સરવાળા -ભાગાકાર, બાદબાકી ગુણાકાર જેવા વ્યવહારિક દાખલા માંડ કુલ 25 ટકા બાળકો  કરી શકે છે તેવું જોવા મળે છે.વાંચન- લેખનમાં  તો આનાથી પણ ઓછુ ટકાવારીનું પ્રમાણ જોવા મળ્યું છે. શિક્ષણ એ  આજીવન ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ દ્વારા વાંચન-ગણન-લેખન શીખવી તેનામાં વિવિધ મૂલ્યો વિક્સાવી  જીવન જીવવાની   કળાના આવશ્યક   કૌશલ્યો  કેળવીને   સમાજનોઉતમ નાગરીક બનાવવાનો છે.ધો.3 થી 8નાં તમામ વિદ્યાર્થીઓને ભાષા-ગણિત જેવા વિષયોમાં  નિપુલ બનાવવાનો છે. વિદ્યાર્થીઓમાં વાંચન-ગણન અને લેખનની ત્રણેય બાબતમાં  કચાશ દૂર થાય તેવું વાર્ષિક  આયોજન વર્ગ શિક્ષકે  કરવું જ પડશે. ભાષા સજજતા  અને   ગાણિતીક કૌશલ્યોના  ગાયન માટે  યોગ્ય મૂલ્યાંકન અને તેનું મોનીટરીંગ પણ  હોવું જરૂરી છે. બાળક ફકરો વાંચીને  તેનો ટુકસાર  ‘સાર લેખન’ માં પોતે જાતે   ભૂલ વગર લખી શકે   એટલો    પાવર ફુલ હોવો જોઈએ. નિયમિત લેખન કૌશલ્યના  વિકાસ માટે   ગુજરાતી-હિન્દી-અંગ્રેજી આ ત્રણેય ભાષાની 10લીટી સતત લખવી જરૂરી છે.

આ કારણે વાંચન કૌશલ્યનું  મહત્વ ઓછુ આંકી ન  શકાય કે તેની ઉપેક્ષા  કરી શકાય નહીં.શાળા અનેક  વિષયોનાં અભ્યાસ થકી  વિદ્યાર્થીઓમાં જ્ઞાનનં સિંચન કરે છે,જેમકે ઈતિહાસનાં શિક્ષણ દ્વારામાનવીના ભૂતકાળને સમજી  તેનું મૂલ્યાંકન કરે તો નાગરીક-ભૂગોળ દ્વારા સારી રીતભાત રહેણીકરણી અને  મનુષ્યના જીવનનો સાચા અર્થમાં પરિચય  પ્રાપ્ત કરે છે. ગણિત દ્વારા કુદરતની ગર્ભિત બાબતો સમજવાનો પ્રયાસ કરે છે. જયારે ભાષા  દ્વારા તે વિચારોના  વિનીમયમાટે જરૂણી કૌશલ્યો કેળવે છે.  વિવિધ વિષયો દ્વારા જ્ઞાન  મેળવે છે. પણ આ બધા વિષયો  દ્વારા જ્ઞાન મેળવવાનું  અસરકારક અને સક્ષમ કોઈ સાધન હોય તો તે છે વંચન.

શરૂઆતમાં વિદ્યાર્થીને ગુણવત્તા યુકત વાંચન પ્રક્રિયાનું અધ્યયન   કરાવવું જરૂરી છે. આ મહાવરો સતત મળવાથી જ કે વાંચનને આધારે જ તે બીજા વિષયોનું જ્ઞાન મેળવવા સમર્થ બને છે. અધ્યયન  પ્રક્રિયામા વાંચન  એક  અગત્યનું  પરિબળ છે. વાંચન આવડત થકી વિદ્યાર્થી સ્વ બળે, સ્વગતિએ, સ્વ અધ્યયન થકી જ આગળ વધી શકે છે.  વાંચન એ જ્ઞાન ભંડારના દ્વાર ખોલવાની ચાવી છે. વાંચન ચાવી એકવાર હસ્તગત થઈ ગઈ પછી કોઈ પણ ક્ષેત્ર કે  વિષયના  જ્ઞાનભંડાર ખોલવામાં સહાયભૂત  બની રહે છે. આના થકી જ  વિદ્યાર્થી કોઈપણ વિષયોના  અધ્યયને અર્થપૂર્ણ બનાવી શકે છે.‘ભાષાનું  મુખ્ય કાર્ય વિચારોના આદાન-પ્રદાનનું  છે.જેનાદ્વારા જ મનુષ્ય જીવન વ્યવહાર  ચલાવે છે’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.