Abtak Media Google News

મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના ડિવોર્સને ખાસ્સો સમય થઇ ગયો છે. પરંતુ ક્યાંકને ક્યાંક તેણે પોતાના આ નિર્ણય પર અફસોસ થઇ રહ્યો છે. તાજેતરમાં જ એક ઇવેન્ટમાં અરબાઝ ખાને પોતાનાં લગ્ન તુટવા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે મિડિયા સાથે વાતચીત દરમ્યાન કહ્યું હતું. કે ‘મારો દિકરો અરહાન માત્ર ૧૪ વર્ષનો છે. અને તેણે મારો અને મલાઇકાનો સંબંધ તૂટતા જોયો છે. તેણે આ સમયે ઉછેરની જ‚ર છે. જેથી મારે કેટલાક મહત્વપુર્ણ પગલા લેવા પડે છે.

અરબાઝ સતત પોતાની એક્સ વાઇફ મલાઇકા અને તેમના દિકરા અરહાનની સાથે ટાઇમ સ્પેન્ડ કરતો જોવા મળે છે. અરબાઝ કહે છે કે મારો મલાઇકા અને તેના પરિવાર સાથેનો સંબંધ સારો છે. અને હુ ઇચ્છુ છુ કે હમેંશા સારો જ રહે. હું નથી ઇચ્છતો કે અમારા સંબંધની ખરાબ અસર મારા દિકરા પર પડે. આ પહેલા મલાઇકાએ પણ પોતાના ડિવોર્સ અંગે વાત કરતા કહ્યું હતું કે ‘અરબાઝ મારા પરિવારનો હિસ્સો છે. અને મારા બાળકનો પિતા છે. કેટલાક સંબંધો એવા હોય છે કે જેને રાતો રાત બદલી શકાતા નથી. અમારી વચ્ચે જે કંઇ પણ થયુ છે તે અમારી વચ્ચે જ રહેવુ જોઇએ. આ અમારી પર્સનલ વાત છે. અમે કોઇને કઇ સાબિત કરવા માગતા નથી. મલાઇકા કહે છે કે મારો દિકરો અરબાઝને મળીને ખુશ થાય છે. જેથી મને પણ ખુશી મળે છે. અરબાઝ હજુ પણ મારી બહેન અમૃતા માટે એક ભાઇ સમાન છે. અને મારા પેરેન્ટ્સ માટે પણ દિકરા જેવો છે. જે કંઇ પણ થયુ છે. તે માત્ર અમારી વચ્ચે જ થયુ છે. તેથી તે અમારા સુધી જ સિમિત રહેવુ જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.