Abtak Media Google News

નાના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ ઘણી એવી ઘટના સામે આવતી હોય છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવામાં આવતા હોય છે ત્યારે વાંકાનેરમાં પણ આવી ઘટના સામે આવી છે જેમાં અગાસી પરથી નવજાત બાળકી મળી આવ્યું હતું.

મળતી માહિતી મુજબ આ ઘટના વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની છે. જ્યાં એક રહેણાક મકાન ની અગાસી પરથી એક નવજાત બિન વારસુ જીવિત બાળકી મળી આવી હતી કોઈ નિષ્ઠુર જનેતા દ્વારા તાજી જન્મેલી બાળકીને આ રીતે તરછોડી દેવામાં આવી હતી.

આ ઘટનાની જાણ વાંકાનેર તંત્રને થતા ૧૦૮નો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને ફૂલ જેવી રમતી જીવિત બાળકીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડી હતી.વાંકાનેર પોલીસ સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ આગળ ની તપાસ હાથ ધરી હતી.

ફૂલ જેવી બાળકી ને પગ માં સામાન્ય ઈજાઓ પણ જોવા મળી હતી. માસૂમ બાળકીને આ રીતે ત્યજી દેનાર તેના માતા પિતા ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો અને આવા નિષ્ઠુર લોકો ને સખત સજા મળે તેવી માંગ ઉઠવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.