Abtak Media Google News

અમદાવાદથી જેદાહ જવા માટે ચૂકવવા પડતા રૂ. 68 હજારની વધારાની રકમ સામે કેન્દ્રીય કમિટીને પુનઃવિચાર કરવા રજુઆત

ગુજરાત રાજ્યની હજ કમિટીએ કેન્દ્ર અને હજ કમિટી ઑફ ઈન્ડિયા સમક્ષ મુંબઈથી હજ જતાં યાત્રીઓની સરખામણીમાં અમદાવાદથી હજ જતાં યાત્રીઓએ ભાડા પેટે વધારાની રકમ ચૂકવવી પડે છે જે અંગે ચિંતા દર્શાવી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

ગુજરાત હજ સમિતિએ કેન્દ્રને એરલાઇન્સની બિડ પર પુનર્વિચાર કરવા અને ભૂલ સુધારવાની વિનંતી કરી છે.  કારણ કે, ગુજરાતના યાત્રાળુઓને તેમના એમ્બર્કેશન પોઈન્ટને મુંબઈ ખસેડવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક આંકડા અનુસાર અમદાવાદથી હજ પઢવા જતાં લોકોએ વ્યક્તિ દીઠ રૂ. 67,981 ચૂકવવા પડે છે.

રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ ઈકબાલ સૈયદે તરત જ કેન્દ્રીય હજ સમિતિ દ્વારા 6 મેના રોજ જારી કરાયેલા પરિપત્ર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે અમદાવાદથી જેદ્દાહ જવા માટે નીકળેલા હજયાત્રીએ રૂ. 3.76 લાખ ચૂકવવા પડશે, જ્યારે મુંબઈના એમ્બર્કેશન પોઈન્ટથી તેઓ માત્ર રૂ. 3.04 ચૂકવી હજ જઈ શકે છે.

ગુજરાત સમિતિએ કેન્દ્રને પૂછ્યું છે કે શા માટે અમદાવાદથી હજ જતાં યાત્રીઓને 67,981 રૂપિયા વધારાના ચૂકવવા પડે છે. જ્યારે મુંબઈ – જેદ્દાહ અને અમદાવાદ – જેદ્દાહ વચ્ચેનું અંતર સમાન છે. આ બે પોઈન્ટની કિંમતમાં ભૂતકાળના તફાવતોને ટાંકીને તફાવતને અયોગ્ય ગણાવવામાં આવ્યો હતો. જે અગાઉ માત્ર રૂ. 4900 અને રૂ. 1950 વચ્ચે હતો.

રાજ્ય હજ સમિતિ દ્વારા તે જ દિવસે કેન્દ્રીય સત્તાધીશોઓને કરાયેલી રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ચાર વર્ષના આંકડા દર્શાવે છે કે અમદાવાદ એમ્બર્કેશન પોઈન્ટથી ચાલુ વર્ષના કુલ હજ ખર્ચમાં અંદાજે રૂ. 67,981નો અયોગ્ય વધારો થયો છે, જ્યારે હવાઈ અંતર અને હવાઈ ભાડું  અમદાવાદ અને મુંબઈ બંને એમ્બર્કેશન પોઈન્ટ વચ્ચે લગભગ સરખા છે.

હજયાત્રીઓના વધતા દબાણ વિશે ચેરમેને લખ્યું હતું કે, ગુજરાત રાજ્ય હજ કમિટી હજ યાત્રિકો દ્વારા અમદાવાદથી મુંબઈમાં તેમના આર્બકેશન પોઈન્ટ બદલવાની સમસ્યાનો સામનો કરી રહી છે. તમને અમદાવાદ એમ્બાર્કેશન પોઈન્ટ માટે એરલાઈન્સની બિડ પર તાત્કાલિક ધોરણે પુનર્વિચાર કરવા વિનંતી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.