- વડોદરાના સોમા તળાવ પાસેના ફ્લાયઓવરની ડિઝાઈનમાં કેમ ફેરફાર કરવામાં આવ્યો
વડોદરામાં ઠેર ઠેર નવા ઓવરબ્રિજ બનાવવાનું તથા જુના ઓવરબ્રિજ પર રિસર્ફેસીંગ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેને લઇને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં એબેક્સ સર્કલ અને વાસણા જંક્શન પર બનતા ઓવર બ્રિજને લઇને ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ હવે સોમા તળાવ રેલવે ઓવર બ્રિજ પર એક તરફનો ટ્રાફિક બંધ કરવાને લઇને જાહેરનોટીસ બહાર પાડવામાં આવી છે. તેને લઇને સોમા તળાવ રેલવો ઓવરબ્રિજ પરથી પસાર થવા માટે વૈકલ્પિક રસ્તાઓને ઉપયોગ કરવો પડશે.
એક તરફના ટ્રેક પર બંને તરફથી વાહનોની અવર-જવર થઇ શકશે
જાહેર નોટીસ દરમિયાન, સોમા તળાવ રેલવે ઓવર બ્રિજ પર રસ્તાની સપાટી પર માસ્ટીક કરીને રીસર્ફેસીંગની કામગીરી 15 ડિસેમ્બર 2024 થી 13 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવશે. જેને લઇને ટ્રાફિકની અનુકુળતાને ધ્યાને રાખીને તબક્કાવાર રીતે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તેમાં ટુ વ્હીલર અને કાર સરળતાથી જઇ શકે તે માટે એક તરફના ટ્રેક પર બંને તરફથી વાહનોની અવર-જવર થઇ શકશે. આ ઉપરાંત ભારદાર વાહનો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારદારી વાહનો માટે બે રૂટ
ભારદારી વાહનોએ સોમા તળાવ 4 રસ્તાથી કપુરાઇ બ્રિજ નીચેથી તરસાલી બ્રિજ, નીચેથી શહેરમાં પ્રવેશઈ, તરસાલી તળાવ, શાકમાર્કેટ, થઇને જે તે તરફ જઇ શકશે. આ દરમિયાન સોમા તળાવ 4 રસ્તાથી પ્રતાપનગર રોડ થઇ, બ્રિજ થઇ બરોડા ડેરી સર્કલથી આગળ જઇ શકાશે, તથા તરસાલી શાક માર્કેટથી સુશેન રીંગ રોડ, ગુરૂદ્વારા સર્કલ, થી જમણી બાજુ વળીને ડભોઇ ત્રણ રસ્તા, સોમા તળાવ તરફ જઇ શકાશે. તેમજ આ રૂટ પર અવર-જવર કરતા ભારદારી વાહનોએ ખાસ જાહેર નોટીસને અનુસરવાની રહેશે.
ગુજરાતના વડોદરામાં સોમા તળાવ નજીક નવા ફ્લાયઓવર બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર સાથે, બ્રિજ બનાવવાની કિંમત બમણી થઈ ગઈ છે.
વડોદરાના સોમા તળાવ પાસે નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રૂ. 56.56 કરોડમાં અપાયો હતો, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી બાદ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર સાથે હવે બ્રિજ રૂ. 120 કરોડમાં બનવા જઇ રહ્યો છે.
આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવતાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો નીતિન દોંગા, ડૉ.રાજેશ શાહ, જાગૃતિ કાકા અને હેમિષા ઠક્કર સ્થળ પર પહોંચી ગયા હતા અને અધિકારીઓ સાથે બ્રિજની ડિઝાઇન અંગે ચર્ચા કર્યા બાદ ઊર્મિ બ્રિજ નબળો પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. જો નવો પુલ બનાવવામાં આવે.
હવે આગામી સ્થાયી અને સંકલન બેઠકમાં આ મામલો ગરમાઈ શકે છે. આ મામલે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે બ્રિજની ડિઝાઈન બદલવામાં આવી રહી છે.