Abtak Media Google News

જય વિરાણી, કેશોદ:

કેશોદ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન મોહનભાઈ બુટાણીએ આગામી તા.૨૮/૧૦/૨૧ ને ગુરુવારે નગરપાલિકા કચેરીમાં કારોબારી સમિતીની મીટીંગ બોલાવી છે. કેશોદ નગરપાલિકામાં વેરાઓમાં કરવામાં આવેલ સુધારા વધારાની વહીવટી પ્રક્રિયા પુર્ણ થયેલ હોય આખરી નિર્ણય લેવામાં આવશે.

કેશોદ નગરપાલિકા વિસ્તારમાં લગાવવામાં આવેલી એલઈડી લાઈટનાં વધું પ્રમાણમાં ઉદભવેલા પ્રશ્નો અંગે કામ રાખનાર એજન્સી દ્વારા કરાર મુજબ કામગીરી હાથ ધરવામાં ન આવતાં આગળની કાર્યવાહી કરવા નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનાં કામો નક્કી કરવામાં આવશે. કેશોદ નગરપાલિકામાં નિતિવિષયક નિર્ણયો લેવામાં આવશે તેમજ કેશોદના કરદાતા સહિત તમામ શહેરીજનોને દિવાળીની ભેટ આપવામાં આવે તેવી શ્ક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.