Abtak Media Google News

રાજકોટ હનુમંત એકેડમી દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શિક્ષણની સાથે અધ્યાત્મ અને જીવનમુલ્યોની જાણકારી મેળવી તેમજ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવાના ઉમદા આશયથી શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

હનુમંત એકેડેમી, રાજકોટ દ્વારા સાધુ સમાજ અને અન્ય તમામ સમાજના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શિક્ષણની સાથે અધ્યાત્મ અને જીવનમુલ્યોની જાણકારી મેળવી વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાર્થીકાળ અને સમાજ જીવનમાં સફળતા મેળવી પદ-પ્રતિષ્ઠાનો હકારાત્મક લાભ કુટુંબ-સમાજ અને શકિતશાળી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને એવા ઉમદા આશયથી વિશ્ર્વ વંદનીય સંતવર્ય પૂજય મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રાજકોટ-૨૦૧૮નું આયોજન હેમુગઢવી હોલ, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક પ્રકાશ મયારામ દુધરેજીયા આયોજક ટીમના ગૌરવ બી.દાણીધારીયા, પ્રો.વિવેક છબીલદાસ ગોંડલિયા, ડો.ચિંતન મુકેશભાઈ ગોંડલિયા, કૌશલ મહેશભાઈ ગોંડલિયા જણાવે છે કે આ સેમિનારના અધ્યક્ષ તરીકે પૂજય મોરારીબાપુ અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર વિશ્ર્વ વિદ્યાલયના પ્રથમ મહિલા કુલગુરુ પ્રો.નિલામ્બરીબેન દવે, વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન અને સતા મંડળના સદસ્ય ડો.મેહુલભાઈ રૂપાણી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓના રોલ મોડેલ સમા અને લોકલ ફંડ ઓડિટ ઓફિસમાં વિભાગીય નાયબ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેશભાઈ સગપરીયા ઉપસ્થિત રહ્યા હતા.

પૂજય મોરારીબાપુએ દિપ પ્રાગટય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સારી રીતે થાય એ ખુબ જ જરૂરી છે એના દ્વારા તમે શ્રેષ્ઠપદ પ્રાપ્તિ કરી શકશો પણ આ પદની ગરિમા જાળવવા તમારે સાથે સાથે શ્રદ્ધાત્મક બનવું પડશે તમારા આચરણમાં ફેરફાર લાવવા પડશે વ્યકિતત્વ યોગ્યતા પુરવાર કરવાથી કુટુંબ, સમાજ અને શકિતશાળી રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બનવા માટેની શરૂઆત તમારે તમારા વડીલોના આશીર્વાદ લઈને કરવી પડશે. વડીલોના આશીર્વાદ લઈને નિશ્ર્ચિત કરવામાં આવેલ ધ્યેયની પ્રાપ્તિ વધારે ગતિશીલ બને છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના શિખરો સર કરી જીવનમાં ઉત્સાહ અને ઈચ્છિત ફળ મેળવો એવા આશીર્વાદ આપી કાર્યક્રમની સફળતા બદલ આયોજકોને શુભકામના પાઠવી હતી.

અતિથિ વિશેષ તરીકે પધારેલ સૌરાષ્ટ્ર વિશ્ર્વ વિદ્યાલયના પ્રથમ મહિલા કુલગુરુ પ્રો.નીલામ્બરીબેન દવેએ કોલેજ કક્ષાએ અને ઉચ્ચ શિક્ષણમાં પરંપરાગત અને બીન પરંપરાગત કોર્ષ વિશે માર્ગદર્શન આપેલ અને પોતે પૂજય મોરારીબાપુની કથાના રસપાનથી પ્રેરણા મેળવી શિક્ષા મેળવી અને સીન્ડીકેટ, ડીન અને કુલપતિપદની જવાબદારીનું વહન કરવા સક્ષમ બન્યાનો રાજીપો વ્યકત કરેલ. ગુજરાત રાજયના દરેક શહેર, જીલ્લા, ગામ જેમ કે રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, થાનગઢ, વાંકાનેર, સુરતમાંથી સાધુ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સૌપ્રથમ વખત આ વખતે આ સેમિનારમાં વિદ્યાર્થીનીઓ અને મહિલાઓની સંખ્યા નોંધ પત્ર રહી હતી જેનો સમગ્ર શ્રેય પૂજય મોરારીબાપુને જાય છે. આ સેમિનારમાં ડો.કવિતાબેન (રાજકોટ મેડિકલ કોલેજ), ડો.નિરાલીબેન (આયુષ રથ), ડો.ક્રિષ્નાબેન (બગસરા), નીતાબેન મોદી, સ્નેહલબેન, મિતલબેન (સુરેન્દ્રનગર), ડો.‚પલબેન (ભાવનગર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ આયોજનને સફળ બનાવવા કાર્યક્રમના મુખ્ય આયોજક ગૌરવ દાણીધારીયા, વિવેક ગોંડલિયા, ડો.ચિંતન ગોંડલિયા, કૌશલ ગોંડલિયા, શૈલેશ દુધરેજીયા, ઉજજેશ દેસાણી, અજય ગોંડલિયા, કેતન દુધરેજીયા, જીજ્ઞેશ ગોંડલિયા, ગૌરાંગ હરિયાણી, દીપકબાપુ હરિયાણી, અક્ષય મેસવાણીયા, કિશન ગોંડલીયા, દેવેન કાપડી, ધર્મેશભાઈ, પાર્થ ભાઈ, કીર્તિબેન, ડો.નિરાલીબેન, પ્રજ્ઞાબેન, રમેશ ગોંડલીયા, જલારામભાઈ, પંકજ ગોંડલીયા, પિન્ટુ દેશાણી, પરેશભાઈ (લુહાર મંદિર) સહિતની યુવા ટીમ આયોજનને સફળ બનાવવા દિવસ-રાત જહેમત ઉઠાવેલ હતી તેમ અંતમાં સેમિનારના મુખ્ય માર્ગદર્શક પ્રકાશભાઈ દુધરેજીયા જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.