Abtak Media Google News

ખોડલધામ મંદિરેથી યોગ, આસન અને પ્રાણાયામ રજુ કરવામાં આવશે

છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાભરમાં અનેક દેશો યોગ તરફ વળ્યા છે. નિયમિત યોગ કરવાથી તન-મનમાં નવીશક્તિનો સંચાર થાય છે. આ વાત વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી છે.  ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી ર1 જૂને વિશ્વ યોગ દિવસની દર વર્ષની માફક ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત આગામી ર1 જૂનને મંગળવારના રોજ  ખોડલધામ મંદિર ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી થશે.

ખોડલધામ મંદિરે યોજાનાર યોગઈવેન્ટનુ ીખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુકપેઈજતેમજયૂ-ટ્યૂબચેનલ પર લાઈવ પ્રસારણ થશે. યોગઈવેન્ટનો સર્વે ભાવિક-ભક્તોને લાભલેવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિત ટ્રસ્ટી મંડળ દ્વારા અનુરોધ કરાયા ેછે. આ કાર્યક્રમમાં સવારે 6 કલાકે મા ખોડલની આરતી કરવામાં આવશે. ત્યારબાદ  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન  નરેશભાઈ પટેલ પ્રાસંગિક સંબોધન કરશે અને ત્યારબાદ યોગ નિષ્ણાત દ્વારા વિવિધ આસનો, યોગ, પ્રાણાયામ કરાવવામાં આવશે.

આ કાર્યક્રમ દેશ-વિદેશમાં વસતાં લોકો ઘરે બેઠા નિહાળી શકે અને યોગ કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર લાઈવ કરવામાં આવશે. આ ઉપરાંત લોકો મંદિરે પણ આ કાર્યક્રમમાં જોડાઈને યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈ શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.