Abtak Media Google News

વ્હોરાસ માજના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર ડો. સૈયદના સાહેબ ગુજરાતની ૧૦ દિવસની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી આજે મંગળવારે મુંબઈ ખાસ હવાઈ જહાજ દ્વારા પરત ફરશે. દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ તાજદાર ડો. સૈયદના મુફદલભાઈ સાહેબ ૧૦ દિવસ પહેલા મહેસાણા જિલ્લાનાં ચાણસમા તાલુકાના દેનમાલ ગામે આવેલ વિખ્યાત હશનફીર સાહેબના મઝાર મુબારક પર આવેલ હતા. ત્યાં તેમણે રાઝા ભરી બંદગી કરી હતી તેઓ અને તેમની સાથે

આવેલ કોઠાર મુબારકના ચુનંદા સાહેબો આજે મંગળવારે સાંજે દેલમાલથી નીકળી અમદાવાદ સરસપુર વિસ્તારમાં આવેલ કુત્બીમજારમાં નમાઝ અને વાજેબાતના ધાર્મિક કાર્યો કરી રાત્રીનાં ૧૧ કલાકે સ્પેશ્યલ પ્લેન દ્વારા મુંબઈ તેમના નિવાસ સ્થાને પરત ફરશે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.