Abtak Media Google News

હિતેશ રાવલ – સાબરકાંઠા

કલયુગ દિન-પ્રતિદિન પોતાનો પગ પસારતો હોય તેમ દુષ્કર્મની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં ઈડર શહેરમાં પણ દુષ્કર્મની ઘટના બની છે. ગત રાત્રિએ અસ્થિર મગજની યુવતી ઉપર અજાણ્યા નરાધમે દુષ્કર્મ ગુજારવાની સાથોસાથ ઢોર માર માર્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે.

આરોપી સામે ફિટકારની લાગણી વરસી રહી છે તો સાથોસાથ પીડિત યુવતી ઉપર અરેરાટી વ્યાપી છે. માનસિક રીતે અસ્થિર આ યુવતી ને ગત રાત્રિએ ઇડર શહેરમાં અજાણ્યા નરાધમનો દુષ્કર્મ કર્યા બાદ ઢોર માર માર્યો હોય તેવી હાલતમાં 108ની ટીમને સ્થાનિકોએ જાણ કરી હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જોકે વધુ સારવારની જરૂરિયાત ઊભી થતાં આ યુવતીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ છે જોકે યુવતી ઉપર દુષ્કર્મ બાદ શરીરના અન્ય ભાગો ઉપર પણ માર માર્યો હોય તેમ જણાતા પોલીસે પણ જાણ કરવામાં આવી છે.

એક તરફ દુષ્કર્મ પીડિતા માનસિક રીતે અસ્થિર હોવાના પગલે આરોપીનું નામ તેમજ અન્ય કોઈપણ પ્રકારની રજૂઆત કે નિવેદન આપી શકે તેમ નથી ત્યારે સ્થાનિક પોલીસ સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે. સાથોસાથ આરોપી સુધી પહોંચવા માટે અલગ-અલગ પાંચ ટીમો બનાવી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે.

જોકે પીડિતા ઉપર દુષ્કર્મ બાદ શરીરના વિવિધ ભાગો ઉપર નિર્દયતાથી મારી હોય તેવા નિશાન મળી આવતા પોલીસ પણ તાત્કાલિક ધોરણે આરોપી સુધી પહોંચવા નો પ્રયાસ હાથ ધર્યો છે સાથોસાથ જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લઇ સ્થાનિક પોલીસ અને તાત્કાલિક ઝડપી લેવા સૂચનો કર્યા છે.

ત્યારે ઇડર પોલીસઆ મામલે આરોપીની ટૂંક સમયમાં ઝડપી લેશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરાઈ રહ્યું છે જોકે હજુ સુધી આરોપી સુધી પહોંચી શકાય તેઓ કોઈ ચોક્કસ પુરાવો હાથ લાગ્યો નથી ત્યારે આગામી સમયમાં પોલીસ આ મામલે વધુ ગંભીરતાથી આગળ વધે તો નવાઈ નહીં.

જોકે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રી મદ રાજચંદ્ર ની પુણ્ય ધરા કહેવાથી ઇડર નગરી ગત રાત્રિએ બનેલા બનાવથી લજ્જિત થઈ છે ત્યારે આગામી સમયમાં આરોપીને તાત્કાલિક ધોરણે ઝડપી કઠોરમાં કઠોર સજા થાય તેવું સ્થાનિકોએ ઇચ્છી રહ્યા છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.