Abtak Media Google News

સાવરકુંડલા: ગાધડકા ગામે જુના મનદુ:ખમાં યુવાનની પિતા પુત્ર સહિત ત્રણે કરી હત્યા

સાવરકુંડલાના ગાધડકા ગામે એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.જેમાં જુના મનદુ:ખમાં પિતા – પુત્ર સહિત ત્રણ શખ્સોએ બાઈક પર જતા યુવાનને માર્ગ પર રોકી તેને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો .જે બનાવની જન સાવરકુંડલા રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે મૃતકના મિત્રની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ સાવરકુંડલાના ગાધડકા ગામે રહેતા રવિભાઈ નાથાભાઈ વાઘેલા ગઈકાલ સાંજના સમયે પોતાના બાઈક પર તેના મિત્ર કેવલભાઈ સાથે કામ સબબ જતા હતા ત્યારે ત્યાં માર્ગ પર ઉભેલા ચંદુભાઈ જાદવભાઈ ગોહિલ તેનો પુત્ર સુનિલ ચંદુભાઈ ગોહિલ અને અન્ય હસમુખભાઈ પરસોત્તમ ગોહિલ એમ ત્રણેય યુવાનના બાઈકને રોકી કહેલ કે ” તને બહુ પાવર આવી ગયો છે આજે તો પતાવી દેવો છે” તેમ કહી તેને ગાળો ભાડી હતી અને હસમુખ ગોહિલે રવિને બાઈક ઉપર થી ધક્કો મારી નીચે પછાડી દીધો હતો અને હસમુખે રવિને પકડી રાખયો હતો ત્યારે સુનિલ ગોહિલે તેના નેફામાંથી છરી કાઢી રવિના છાતીમાં ભાગે મારી દેતા તેને ગંભીર રીતે ઈજા પોહચી હતી.

જેથી તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા બનાવો હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ સાવરકુંડલા રૂરલ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ એ દોડી ગયો હતો અને મૃતકના મિત્રની ફરિયાદ પરથી ચંદુભાઈ જાદવભાઈ ગોહિલ તેનો પુત્ર સુનિલ ચંદુભાઈ ગોહિલ અને અન્ય હસમુખભાઈ પરસોત્તમ ગોહિલ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને તપાસમાં જુના મનદુ:ખના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.